નવી દિલ્હીઃ વર્ષ 1947એ થયેલા ભારતના ભાગલાને યાદ કરતા જ આજે પણ આપણી આંખમાં આંસુ આવી જાય છે. 15 ઓગસ્ટએ આપણને આઝાદી ચોક્કસ મળી, પરંતુ તે સાથે વિભાજનનું ક્યારેય ન ભૂલાય તેવું દુઃખ પણ મળ્યું. મોટી સંખ્યામાં ભારતમાંથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવીને વસી ગયા. જ્યારે કેટલાય લોકો જ્યાં હતા ત્યાંને ત્યાં જ રહી ગયા. વિભાજન દરમિયાન લાખોની સંખ્યામાં લોકોનું લોહી વહ્યું અને ઘણા લોકો પરિવારથી વિખૂટા પડી ગયા. 75 વર્ષ પહેલા આ જ રીતે વિખૂટા પડી ગયેલા બે પરિવાર જ્યારે મળ્યો તો તેમની આંખમાંથી આંસુ રોકાવાનું નામ નહોંતા લઈ રહ્યા. કરતારપુર કોરિડોરમાં જ્યારે આ પરિવાર મળ્યો તો એટલા ખુશ થઈ ગયા કે એકબીજા પર ફૂલોનો વરસાદ કરવા લાગ્યા. એ દરમિયાન જેણે પણ આ દ્રશ્ય જોયું તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ બે પરિવારોના મિલનનું માધ્યમ બન્યું સોશિયલ મીડિયા. કોણ છે આ બે પરિવાર અને કઈ રીતે થયું મિલન
ભાગલાનો દંશ 75 વર્ષ પહેલા બે પરિવારોને પણ સહન કરવો પડ્યો હતો. વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન, મોટા ભાઈ ગુરુદેવ સિંહ કરીમ બખ્શ સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા. તો, નાનાભાઈ દયા સિંહ પોતાના મામા સાથે હરિયાણામાં જ રહ્યા હતા. આ બંને પરિવારની મુલાકાત કરતારપુર કોરિડોરમાં થઈ. અહીં જ્યારે બંનેએ એકબીજાને જોયા તો જાણે બધું જ મળી ગયું. બંને પરિવાર ઈમોશનલ થઈ ગયા. ખુશીમાં ફુલોનો વરસાદ કરવા લાગ્યા. હકીકતમાં બંને ભાઈ હરિયાણાના રહેવાસી હતા. ભાગલા પહેલા પોતાના દિવંગત પિતાના દોસ્ત કરીમ બખ્શ સાથે મહેન્દ્રગઢ જિલ્લાના ગોમલા ગામમાં રહેતા હતા. પરંતુ, 75 વર્ષ પહેલા બંને અલગ થઈ ગયા હતા. બાદમાં સોશિયલ મીડિયાની મદદતી બંને પરિવારનું ફરી મિલન થઈ શક્યું.
મોટાભાઈ જીવતા હતા ત્યારે સરકારને ઘણા પત્રો લખ્યા હતાભાગલા દરમિયાન વર્ષ 1947માં મોટાભાઈ ગુરુદેવ સિંહ પોતાના પિતાના દોસ્ત કરીમ બખ્શ સાથે પાકિસ્તાન જતા રહ્યા, તો નાનાભાઈ દયા સિંહ પોતાના મામા સાથે હરિયાણામાં જ રહ્યા. પાકિસ્તાન પહોંચ્યા પછી મોટાભાઈ લાહોરથી લગભગ 200 કિમી દૂર પંજાબ પ્રાંતના ઝાંગ જિલ્લામાં વસી ગયા. તેમને ત્યાં એક મુસ્લિમ નામ આપવામાં આવ્યું. તેમના દીકરા મોહમ્મદ શરીફે મીડિયાને જણાવ્યું કે, વર્ષોથી તેમના પિતા ભારતમાં પોતાના નાના ભાઈ દયા સિંહ ક્યાં રહે છે તે શોધવા માટે ભારત સરકારને પત્ર લખતા હતા. ઉલ્લેખનીય છે કે, કરતારપુરમાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનું અંતિમ વિશ્રામ સ્થળ છે. આ કોરિડોરની મદદથી પંજાબના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિર સાથે તેને જોડવામાં આવ્યું છે.
ભાગલાનો દંશ 75 વર્ષ પહેલા બે પરિવારોને પણ સહન કરવો પડ્યો હતો. વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન, મોટા ભાઈ ગુરુદેવ સિંહ કરીમ બખ્શ સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા. તો, નાનાભાઈ દયા સિંહ પોતાના મામા સાથે હરિયાણામાં જ રહ્યા હતા. આ બંને પરિવારની મુલાકાત કરતારપુર કોરિડોરમાં થઈ. અહીં જ્યારે બંનેએ એકબીજાને જોયા તો જાણે બધું જ મળી ગયું. બંને પરિવાર ઈમોશનલ થઈ ગયા. ખુશીમાં ફુલોનો વરસાદ કરવા લાગ્યા. હકીકતમાં બંને ભાઈ હરિયાણાના રહેવાસી હતા. ભાગલા પહેલા પોતાના દિવંગત પિતાના દોસ્ત કરીમ બખ્શ સાથે મહેન્દ્રગઢ જિલ્લાના ગોમલા ગામમાં રહેતા હતા. પરંતુ, 75 વર્ષ પહેલા બંને અલગ થઈ ગયા હતા. બાદમાં સોશિયલ મીડિયાની મદદતી બંને પરિવારનું ફરી મિલન થઈ શક્યું.
મોટાભાઈ જીવતા હતા ત્યારે સરકારને ઘણા પત્રો લખ્યા હતાભાગલા દરમિયાન વર્ષ 1947માં મોટાભાઈ ગુરુદેવ સિંહ પોતાના પિતાના દોસ્ત કરીમ બખ્શ સાથે પાકિસ્તાન જતા રહ્યા, તો નાનાભાઈ દયા સિંહ પોતાના મામા સાથે હરિયાણામાં જ રહ્યા. પાકિસ્તાન પહોંચ્યા પછી મોટાભાઈ લાહોરથી લગભગ 200 કિમી દૂર પંજાબ પ્રાંતના ઝાંગ જિલ્લામાં વસી ગયા. તેમને ત્યાં એક મુસ્લિમ નામ આપવામાં આવ્યું. તેમના દીકરા મોહમ્મદ શરીફે મીડિયાને જણાવ્યું કે, વર્ષોથી તેમના પિતા ભારતમાં પોતાના નાના ભાઈ દયા સિંહ ક્યાં રહે છે તે શોધવા માટે ભારત સરકારને પત્ર લખતા હતા. ઉલ્લેખનીય છે કે, કરતારપુરમાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનું અંતિમ વિશ્રામ સ્થળ છે. આ કોરિડોરની મદદથી પંજાબના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિર સાથે તેને જોડવામાં આવ્યું છે.