એપશહેર

ભારતમાં આવ્યો કોરોના વાઈરસ! મુંબઈમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા

Yogesh Gajjar | I am Gujarat 24 Jan 2020, 4:43 pm
મુંબઈમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ મામલાઓ સામે આવ્યા છે. જે બાદ બંને શંકાસ્પદ વ્યક્તિઓને કસ્તૂરબા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. હાલમાં તેમનું ચેકીંગ કરાઈ રહ્યું છે. આ વચ્ચે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 830થી વધારે લોકો તેના સંક્રમણમાં છે. ચીનમાં વુહાન સહિત 9 શહેરોને બંધ કરી દેવાયા છે. વુહાનમાં 700થી વધારે ભારતીય સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જાણકારી મુજબ ચીનથી આવેલા બે વ્યક્તિમાં કોરોના વાઈરસ હોવાની આશંકા દર્શાવાઈ રહી છે. બંને દર્દીઓને કસ્તૂરબા હોસ્પિટલમાં અલગ વોર્ડમાં ભરતી કરાયા છે. કસ્તૂરબા હોસ્પિટલના સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ બંને દર્દીઓમાં સામાન્ય શરદી-ખાંસીના લક્ષણો છે. હાલમાં દર્દીને આ વિશે કોઈ જાણકારી અપાઈ નથી. હકીકતમાં ચીનમાં કોરોના વાઈરસથી લોકોમાં દહેશતનો માહોલ છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે અને ઘણાના મોત થઈ ચૂક્યા છે. આટલું જ નહીં કોરોના વાઈરસના સંક્રમણને લઈને સાવધાની દાખવતા બીએમસીએ ચિંચપોકલીના કસ્તૂરબા હોસ્પિટલને ખાસ આદેશ આપ્યા છે. ચિંચપોકલીની કસ્તૂરબા હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરાયો છે તથા તેમને અન્ય દર્દીઓથી અલગ રખાય છે જેથી તેમનામાં ચેપ ન ફેલાય. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 19 જાન્યુઆરીથી 1789 પેસેન્જરોનું કોરોવા વાઈરસને લઈને ચેકિંગ થઈ ચૂક્યું છે. તેમાંથી બે પેસેન્જરો ચીનથી આવ્યા હતા. પ્રાઈવેટ પ્રેક્ટિસ કરનારા ડોક્ટર્સને પણ ચીનથી પાછા આવેલા અને વાઈરસના લક્ષણ વાળા લોકોને અલગ વોર્ડમાં મોકલવા માટે કહેવાયું છે.

Read Next Story