એપશહેર

આ શહેરમાં ઘરના ધાબે શાકભાજી ઉગાડી રહ્યા છે પરિવારો, શરીર માટે ફાયદાકારક

ઘરના ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કોરોનાના ડરથી પણ કેટલાંક લોકો બહાર નહીં જતા ઘરે જ શાકભાજી ઉગાડી રહ્યા છે.

I am Gujarat 1 Aug 2020, 4:52 pm
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુર શહેરની મ્યુનિસિપલ હદમાં આવતા કેટલાંક ઘરના ધાબા પર શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. આ પરિવારોએ ઘરના ધાબા પર શાકભાજી ઉગાડ્યા છે અને દરરોજ તેનો ભોજનમાં શાક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે ઘરના ધાબા પર શાકભાજી ઉગાડવાથી પર્યાવરણ સાથેનો સંપર્ક રહે છે અને ગરમીમાં ઠંડક મળે છે.
I am Gujarat q4


આ પરિવારો તેમના ઘરના ધાબા પર ટામેટા, ભીંડા, મરચા, કોથમીર અને કાકડી સહિતની શાકભાજી ઉગાડી રહ્યા છે. આ વિશે વાત કરતા ગૃહિણીએ જણાવ્યું કે કોરોના વાયરસના ડરથી ઘરે શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી છે. કારણકે એવું જાણવા મળ્યું હતું કે શાકભાજી માર્કેટમાંથી પણ કોરોનાના વધુ કેસ આવ્યા હતા.

દિપ્તી શર્મા નામના એક ગૃહિણીએ જણાવ્યું કે લોકડાઉનમાં પૂરતો સમય હતો ત્યારે ઘરે જ ધાબા પર શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. મારા ધાબા પર ટામેટા, મરચા, રિંગણ અને તૂરિયા સહિતની શાકભાજી ઉગે છે. જેનો અમે દરરોજ જમવામાં ઉપયોગ કરીએ છીએ. તેઓ ઘરે જ શાકભાજી ઉગાડવા માટે નકામા પ્લાસ્ટિકના કેનનો ઉપયોગ કરી તેમાં ઘરે બનાવેલું ખાતર ઉમેરવામાં આવે છે.

આ રીતે ઘરે જ ધાબા પર શાકભાજી ઉગાડતા એક નિવૃત્ત એન્જિનિયરે જણાવ્યું કે બજારમાં મળતા શાકભાજીમાં જંતુનાશકોનો ઉપયોગ કરાયો હોય છે. અમે પરિવારની જરૂરિયાત મુજબ હવે ઘરે જ શાકભાજી ઉગાડી રહ્યા છીએ. અમે ઘરે ઉગાડેલી દૂધીમાંથી હલવો પણ બનાવ્યો હતો. ઘરે ઉગાડેલા શાકભાજી શરીર માટે ઉત્તમ છે.

Read Next Story