એપશહેર

ઉદ્ધવ ઠાકરેના ઘરે 'દાઉદ ઈબ્રાહિમ'ને ત્યાંથી આવ્યો ફોન! વધી 'માતોશ્રી'ની સુરક્ષા

લેન્ડલાઈન નંબર પર આવેલા ફોન કોલમાં ફોન કરનારે પોતાને દાઉદ ઈબ્રાહિમનો માણસ હોવાનું જણાવ્યુ હતું.

I am Gujarat 6 Sep 2020, 9:12 pm
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી પર કથિત રીતે દાઉદ ઈબ્રાહિમના સાગરિતનો ફોન આવ્યા પછી સુરક્ષા વધારવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ આવાસના લેન્ડલાઈન નંબર પર એક ફોન કોલ કરનાર વ્યક્તિએ પોતે દાઉદ ઈબ્રાહિમનો માણસ હોવાનું જણાવ્યું હતું.
I am Gujarat uddhav residence gets call from dawood ibrahim security tightened at matoshree
ઉદ્ધવ ઠાકરેના ઘરે 'દાઉદ ઈબ્રાહિમ'ને ત્યાંથી આવ્યો ફોન! વધી 'માતોશ્રી'ની સુરક્ષા


'સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવા ઈચ્છે છે દાઉદ'
એક રિપોર્ટ અનુસાર ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ઘરે માતોશ્રીમાં શનિવારે રાતે આશરે 11 કલાકની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો. લેન્ડલાઈન નંબર પર આવેલા ફોન કોલમાં ફોન કરનારે પોતાને દાઉદ ઈબ્રાહિમનો માણસ હોવાનું જણાવ્યુ હતું. આ વ્યક્તિએ કહ્યું કે દાઉદ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવા ઈચ્છે છે.

માતોશ્રીમાં વધારવામાં આવી સુરક્ષા


સીએમ આવાસ પર પોલીસ કર્મચારી તૈનાત
જોકે, ઓપરેટરે ફોન કોલ ટ્રાન્સફર ન કર્યો અને જે પછી પોલીસ અધિકારીઓને આ વાતની જાણકારી આપી હતી. ફોન કોલ આવ્યા પછી મહારાષ્ટ્રના ગૃહ વિભાગે અધિકારીઓને સીએમના ઘર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવાનું કહ્યું છે. જેના આધારે જ રવિવારે અહીં વધારાના પોલીસ કર્મચારીને જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત તે વ્યક્તિની પણ જાણ મેળવવા માટે તપાસ ચાલુ છે. જેણે મુખ્યમંત્રી આવાસ પર ફોન કર્યો હતો.


પહેલા પણ મળી ચૂકી છે ધમકી
નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. જે સમયે આ ઘટના બની હતી ત્યારે મહારાષ્ટ્રના સીએમ શરદ પવાર રહ્યા હતાં. ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2019માં સીએમ પદના શપથ લીધા હતાં. ઉદ્ધવ ઠાકરેનો દીકરો આદિત્ય ઠાકરે પણ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.

Read Next Story