એપશહેર

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદની સાથે વિધાનસભા પરિષદનું સભ્યપદ પણ છોડ્યું

Uddhav Thackeray Resigns: સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની મનાઈ ફરમાવી દીધાના થોડા સમય બાદ જ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા પરિષદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. જાણો રાજીનામું આપતાં સમયે ભાવુક થયેલાં ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું હતું.

Authored byHarshal Makwana | I am Gujarat 29 Jun 2022, 10:51 pm

હાઈલાઈટ્સ:

  • રસ્તાઓ પર શિવસૈનિકોનું લોહી ન વહે તે માટે રાજીનામું આપી રહ્યો છું- ઉદ્ધવ ઠાકરે
  • હું અણધારી રીતે સત્તામાં આવ્યો અને તે જ રીતે બહાર જઈ રહ્યો છું- ઉદ્ધવ ઠાકરે
  • હું ક્યાંય નથી જવાનો, શિવસેના ભવનમાં બેસી મારા લોકોને એકઠા કરીશ- ઉદ્ધવ ઠાકરે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Uddhav Thackeray Resigns
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ છોડ્યું, ભાવુક થતાં કહ્યું- 'જે થયું તેની આશા ન હતી'
Uddhav Thackeray Resigns: મહારાષ્ટ્ર્ મહા પોલિટિકલ ડ્રામામાં આખરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવી દેવાની ના પાડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક મારફતે લાઈવ કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાની વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ ભાવુક પણ વાત કરી હતી. ફેસબુક લાઈવમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સીએમ પદ છોડવાનું દુઃખ નથી. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, જે થયું તેની આશા ન હતી. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ વિધાનપરિષદના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું તાજ હોટેલમાં પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ મોઢું મીઠું કરાવ્યું હતું. સોશિયલ મીડિયામાં રાજીનામાની જાહેરાત કર્યાં બાદ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવા માટે સીધા જ રાજભવન પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફેસબુક લાઈવથી જનતાને સંબોધન કર્યું
સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર આપેલાં નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ બુધવારની રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ફેસબુક પર લાઈવ કરીને સંબોધન કરતા કહ્યું હતું કે, મારી સરકાર બનતાં જ સૌથી પહેલું કામ મેં રાયગઢ માટે ફંડ આપવાનું કર્યું હતું અને ખેડૂતોને દેવામુક્ત કર્યાં હતા. હું મારા સાથીદારો એનસીપી, કોંગ્રેસ, શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર માનવા માગું છું.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે જ્યારે ઔરંગાબાદ અને ઓસમાનાબાદનું નામકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો ત્યારે આજે રાજ્યના કેબિનેટમાં શિવસેનાના માત્ર ચાર મંત્રીઓ જ હતા. કોંગ્રેસ અને એનસીપી દ્વારા કોઈ વિરોધ કરાયો ન હતો. જેઓ આ દરખાસ્તનો વિરોધ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું, આજે તેઓ મારી સાથે હતા.

ઉદ્ધવ ઠાકરેએ જનતા સામે કરી ભાવુક અપીલ
જનતાને ભાવુક અપીલ કરતાં ઠાકરેએ કહ્યું કે, સામાન્ય માણસ આજે દુઃખી થયા છે. આ સાથે તેઓએ ગવર્નરનો પણ આભાર માન્યો હતો. તેઓને જેવો જ ફ્લોર ટેસ્ટનો પત્ર મળ્યો, તેઓએ તરત જ પગલાં ભર્યા હતા. પણ જો તેઓએ 12 ધારાસભ્યોનો ઉલ્લેખ કર્યો હતો, તેમના માટેના અમારા સન્માનમાં વધારો થયો હોત.

બળવાખરો ધારાસભ્યોને અપીલ કરતાં કહી આ વાત
આ ઉપરાંત બળવાખોર ધારાસભ્યોને અપીલ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સુરત અને ગુવાહાટી જવા કરતાં તેઓએ વર્ષા અથવા માતોશ્રી આવવું જોઈતું હતું. હું તેમની લાગણીને માન આપું છું, પણ તેઓએ મારી પાસે આવવું જોઈતું હતું. શિવસૈનિકોની અટકાયત કરવામાં આવી રહી છે. મુંબઈમાં સેન્ટ્રલ ફોર્સને મુંબઈ મોકલી દીધો છે, બોર્ડરની ફોર્સને પણ વિથડ્રો કરી મુંબઈ મોકલી દેવામાં આવી છે.

રસ્તા પર શિવસૈનિકોનું લોહી ન વહે તે માટે રાજીનામું આપું છું
વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આવતીકાલે નવી લોકશાહી બનશે. કોઈપણ શિવૈસિનક તેમના રસ્તામાં નહીં આવે. રાજીનામાની જાહેરાત કરતાં ઠાકરેએ કહ્યું કે, મને ડરાવી શકો તેમાંનો હું નથી, પણ રસ્તાઓ પર શિવસૈનિકોનું લોહી ન વહે તે માટે હું આજે પદ પરથી નીચે ઉતરી રહ્યો છું. મને પદને કોઈ લોભ નથી. મને મારા શિવસૈનિકોના સપોર્ટની ચિંતા નથી.

અણધારી રીતે સત્તામાં આવ્યો અને તે જ રીતે બહાર જઈ રહ્યો છું- ઠાકરેઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અનપેક્ષિત રીતે સત્તામાં આવ્યો હતો અને તે જ પ્રકારે હું બહાર જઈ રહ્યો છું. હું ક્યાંય પણ જઈ રહ્યો નથી. હું અહીં જ છું અને હું ફરી એકવાર શિવસેના ભવનમાં બેસીસ અને મારા લોકોને એકઠા કરીશ. હું સીએમ અને એમએલસી તરીકે રાજીનામું આપું છું

Read Next Story