એપશહેર

ઉત્તરાખંડની યાત્રા પર હતા ઉમા ભારતી, કોરોના રિપોર્ટ પોઝિટિવ

રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજ ખાતે ઉમા ભારતી ક્વોરન્ટીન છે.

I am Gujarat 27 Sep 2020, 9:01 pm
ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ઉત્તરાખંડ પ્રવાસ પર છે. ઉમા તાજેતરમાં જ પર્વતની સફર પર ગયા હતા. તેમણે કેદારનાથના દર્શન કરતી વખતે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જે પછી પોતે જ કોરોના પોઝિટિવ હોવા અંગેની માહિતી ટ્વિટ કરી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજ ખાતે પોતાને ક્વોરન્ટીન કર્યા છે.
I am Gujarat uma bharti ko corona uma bharti test report comes to be covid positive
ઉત્તરાખંડની યાત્રા પર હતા ઉમા ભારતી, કોરોના રિપોર્ટ પોઝિટિવ


ઉમા ભારતીએ ટ્વીટ કરી આપી માહિતી
ઉમા ભારતીએ મોડી રાત્રે ટ્વિટ કરી કે, હું તમારી માહિતી માટે મૂકી રહી છું કે મેં મારી પહાડ યાત્રાના અંતના અંતિમ દિવસે કોરોના ટેસ્ટ ટીમને બોલાવી વહીવટીતંત્રને કોરોના ટેસ્ટ માટે વિનંતી કરી હતી કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયના કોવિડના તમામ કાયદા અને સોશિયલ ડિસ્ટન્સને અનુસર્યું હતું. જેથી હું કોરોના પોઝિટિવ નીકળી છું.


સંપર્કમાં આવનારને કરી અપીલ
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું હાલમાં હરિદ્વાર અને ઋષિકેશ વચ્ચે વંદે માતરમ કુંજ ખાતે ક્વોરન્ટીન છું. જે મારા પરિવાર જેવા જ છે. હું 4 દિવસ પછી ફરીથી ટેસ્ટ કરાવીશ અને જો પરિસ્થિતિ આવી જ રહેશે તો હું ડોકટરોની સલાહ મુજબ નિર્ણય કરીશ. મારા સંપર્કમાં રહેલા લોકોને અપીલ છે કે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવે અને કાળજી લે.

ભાજપના નેતાઓએ પાઠવી સ્વસ્થ થવાની કામના
નોંધનીય છે કે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી પેટા-ચૂંટણીના પ્રચાર પછી હિમાલયની યાત્રા પર નીકળા હતાં. પ્રવાસ પૂરો કર્યા પછી ફરીથી તેઓ એમપીની રાજનીતિમાં સક્રિય થશે. પરંતુ તે પહેલા તે કોરોના સંક્રમણના ઝપેટમાં આવ્યા છે. મધ્યપ્રદેશ ભાજપના નેતાઓએ તેમને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

Read Next Story