એપશહેર

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા.

I am Gujarat 8 Oct 2020, 9:45 pm
કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. રામવિલાસ પાસવાન છેલ્લા કેટલાંક દિવસોથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ હતા. રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી છે.
I am Gujarat w1


દીકરાએ આપી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ
બોલિવૂડમાંથી રાજકારણમાં આવેલા રામવિલાસ પાસવાનના દીકરા અને હવે બિહારની રાજનીતિતમાં મોટું નામ બનાવી ચૂકેલા ચિરાગ પાસવાને પણ પિતાને શ્રદ્ધાંજલિ આપતા બાળપણની તસવીર શૅર કરી હતી. આ સાથે જ તેમણે પોસ્ટ કરી હતી કે, 'પાપા...હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબર છે કે, તમે જ્યાં પણ છો હંમેશા મારી સાથે જ છો. Miss you Papa...

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન લગભગ છેલ્લા 1 મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. તારીખ 2 ઓક્ટોબરના દિવસે રાત્રે તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. રામવિલાસ પાસવાનની આ બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી. રામવિલાસ પાસવાનનો જન્મ તારીખ 5 જુલાઈ 1946માં બિહારના એક દલિત પરિવારમાં થયો હતો. વર્ષ 2000માં રામવિલાસ પાસવાને જનતા દળ યુનાઈટેડથી અલગ થઈને લોકજન શક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો