એપશહેર

Unlock 4: સરકારનો મોટો નિર્ણય, આ કામથી શાળાએ જઈ શકશે ધો.9થી12ના વિદ્યાર્થીઓ

અનલૉક 4માં પણ કેન્દ્ર સરકારે દેશમાં સ્કૂલ-કૉલેજો ન ખોલવાનો નિર્ણય લીધો છે પણ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓને એક છૂટ આપી છે

I am Gujarat 29 Aug 2020, 11:22 pm
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક-4ની ગાઈડલાઈન રજૂ કરી દીધી છે. અનલૉક-4માં સ્કૂલો અને કૉલેજો ખોલવા અંગે પણ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી સ્કૂલ્સ ખુલવાની રાહ જોઈ રહેલા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સને ફરી એકવાર નિરાશ થવું પડ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખતા નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ, કૉલેજ, કોચિંગ ક્લાસિસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જોકે, કન્ટેટમેન્ટ ઝોનની બહાર 9થી12 ધોરણ અને કૉલેજના વિદ્યાર્થી સ્વેચ્છાએ સ્કૂલ જઈ શકશે. આનો મતલબ કે, સ્ટુડન્ટ્સ ઈચ્છે તો તે કૉલેજ જઈ શકે, કૉલેજ અટેન્ડ કરવાનું બંધન રહેશે નહીં.
I am Gujarat unlock 4 school and college guidelines
Unlock 4: સરકારનો મોટો નિર્ણય, આ કામથી શાળાએ જઈ શકશે ધો.9થી12ના વિદ્યાર્થીઓ


અનલૉક-4ની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 21 સપ્ટેમ્બરથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્કૂલોમાં 50 ટકા ટીચિંગ સ્ટાફને સ્કૂલ આવવાની પરમિશન આપી શકે છે. આ સ્ટાફ ઑનલાઈન ટીચિંગ માટે સ્કૂલ આવી શકે છે. આ દરમિયાન તમામ સ્કૂલ, કૉલેજ, કોચિંગ અને અન્ય શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. ધોરણ 9-12ના સ્ટુડન્ટ્સ પોતાના વાલીઓની પરવાનગીથી સ્કૂલ જઈ શકશે.

પેરેન્ટ્સની પરમિશન જરૂરી

નવા નિયમો અનુસાર, કન્ટેનમેન્ટ ઝોનની બહાર ધોરણ 9થી 12 સુધીના સ્ટુડન્ટ્સને ટીચર્સ પાસેથી ગાઈડન્સ લેવા માટે સ્કૂલ જવાની પરમિશન છે. જોકે, આ ત્યારે શક્ય છે જ્યારે સ્ટુડન્ટ્સ પોતાના માતા-પિતા અથવા વાલીની પરવાનગી લે. શાળાઓ સ્ટુડન્ટ્સને ક્લાસ એટેન્ડ કરવા માટે મજબૂર કરી શકસે નહીં. એ સ્ટુડન્ટ્સની મરજી પર રહેશે કે તે જવા માગે છે કે નહીં.

ઑનલાઈન એજ્યુકેશનને મળશે પ્રોત્સાહન

સ્કૂલ, કૉલેજ, શૈક્ષણિક અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ હાલ બંધ રહેશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની સાથે ગહન ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્કૂલ, કૉલેજ, શૈક્ષણિક અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ 30 સપ્ટેમ્બર સુધી બંધ જ રહેશે. ઑનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને ચલાવવાની પરવાનગી યથાવત રહેશે અને તેને પ્રમોટ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોત-પોતાને ત્યાં સ્કૂલોમાં ઑનલાઈન ટીચિંગ/ટેલિ-કાઉન્સિલિંગ અને તેની સાથે જોડાયેલા કામો માટે 50 ટકા ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફને બોલાવવાની પરવાનગી આપી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો