એપશહેર

'મા નહીં આવી શકું...' પિતાના નિધન પર UPના CM યોગીનો ભાવુક પત્ર

Yogesh Gajjar | I am Gujarat 20 Apr 2020, 2:19 pm
લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું સોમવારે નિધન થઈ ગયું. તે અંતિમ વખતે પોતાના પિતાના દર્શન કરવા પણ ન જઈ શક્યા. યોગી આદિત્યનાથે નિર્ણય લીધો કે તેઓ લોકડાઉનના નિયમોનું પાલન કરશે અને પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય. યોગીએ પોતાના પરિવારજનોને પણ લોકડાઉનનું પાલન કરતા ઓછામાં ઓછા લોકોને અંતિમ સંસ્કારમાં સામેલ થવાની અપીલ કરી છે. તેમણે જાતે આ મુશ્કેલ સમયે પોતાની માતાને ભાવુક પત્ર લખ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:યુપી સીએમના પિતા આનંદ સિંહ વિષ્ટે સોમવારે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. યોગીને જ્યારે પિતાના મોતની સૂચના મળી ત્યારે તેઓ કોરોનાની મહામારી સામે લડવા મીટિંગ કરી રહ્યા હતા. સીએમ યોગીએ મીટિંગ ચાલું રાખી. અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી જેથી સીએમ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકે. પરંતુ તેમણે દિલ્હી કે ઉત્તરાખંડ જવાથી ઈનકાર કરી દીધો.અંતિમ દર્શન કરવા ઈચ્છતા હતા પણ… સીએમ યોગીએ આ સંબંધમાં એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, તેમને પોતાના પિતાના મૃત્યુનું દુઃખ છે. તેઓ તેમને અંતિમ વખતે જોવા ઈચ્છતા હતા, પરંતુ વૈશ્વિક મહામારીના કારણે આવું ન કરી શક્યા. યોગીએ એક ખૂબ જ ભાવુક પત્ર જાહેર કર્યો છે અને તેમણે પોતાના વ્યક્તિગત જીવનથી કર્તવ્યને ઉપર રાખ્યું છે.
યોગીનો માતાને ભાવુક પત્રયોગીએ પોતાની માતાને મોકલેલા પત્રમાં લખ્યું છે, પોતાના પૂજ્ય પિતાજીના કૈલાશવાસી થવા પર મને ખૂબ જ શોક અને દુઃખ છે. તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવથી સમર્પિત ભાવ સાથે કામ કરવાના સંસ્કાર બાળપણમાં તેમણે મને આપ્યા. અંતિમ પળોમાં તેમના દર્શનની ઈચ્છા હતી, પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે દેશની લડાઈને ઉત્તર પ્રદેશની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધારવાના કર્તવ્યના કારણે હું ન કરી શક્યો. કાલે 21 એપ્રિલે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં લોકડાઉનની સફળતા તથા મહામારી કોરોનાને હરાવવાની રણનીતિના કારણે હું ભાગ નહીં લઈ શકું. પૂજ્ય માતા, પૂર્વાશ્રમથી જોડાયેલા બધા સદસ્યોને અપીલ છે કે તેઓ લોકડાઉનનું પાલન કરતા ઓછામાં ઓછા લોકો સાથે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ-કોટિ નમન કરતા તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. લોકડાઉન બાદ દર્શન માટે આવીશ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો