એપશહેર

નિયમ તોડીને મળ્યું હતું પ્રમોશન, ચાર ઓફિસરોને યોગી સરકારે બનાવ્યા પટ્ટાવાળા-ચોકીદાર

અત્યાર સુધી અધિકારી તરીકે ફરજ બજાવનારા કર્મચારીઓ હવે બની ગયા ઓફિસમાં પટ્ટાવાળા અને ઓપરેટર

I am Gujarat 9 Jan 2021, 11:11 pm
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ભ્રષ્ટાચાર સામે કડક નિર્ણયો લેવાનું ચાલુ રાખ્યું છે. રાજ્ય સરકારે યુપીના માહિતી વિભાગમાં વધારાના જિલ્લા માહિતી અધિકારીઓનું ડિમોશન કરી તેમને પટાવાળા, ચોકીદાર, ઓપરેટર અને સહાયકો બનાવી દીધા છે.
I am Gujarat up yogi adityanath govt state information department demote 4 officers who got promotions
નિયમ તોડીને મળ્યું હતું પ્રમોશન, ચાર ઓફિસરોને યોગી સરકારે બનાવ્યા પટ્ટાવાળા-ચોકીદાર


યોગી સરકારે યુપીના માહિતી વિભાગમાં વધારાના જિલ્લા માહિતી અધિકારીઓને પટાવાળા, ચોકીદાર, ઓપરેટર્સ અને સહાયક બનાવ્યા તે અધિકારીઓને નિયમ વિરુધ્ધ અધિક જિલ્લા માહિતી અધિકારીઓ બનાવી દેવામાં આવ્યા હતા. આ ચારેય અધિકારીઓને તેમની મૂળ પોસ્ટ પર પરત મોકલવામાં આવ્યા હતા.

4 અધિકારીઓનું ડિમોશન કરવામાં આવ્યું છે.


ઉત્તર પ્રદેશના માહિતી વિભાગમાં પ્રમોશન મેળવનારા 4 લોકોનું ડિમોશન કરવામાં આવ્યું છે. તેમના નામ નરસિંહ, દયાશંકર, વિનોદકુમાર શર્મા અને અનિલકુમાર સિંહ હોવાનું સામે આવ્યું છે. નરસિંહને પટાવાળા બનાવવામાં આવ્યા છે, દયાશંકરને ચોકીદાર તરીકે, વિનોદકુમાર શર્મા અને અનિલકુમાર સિંહને સિનેમા ઓપરેટરો કમ પ્રચાર સહાયક બનાવવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો