એપશહેર

એક રસગુલ્લાના કારણે થઈ ગઈ બબાલ, કન્યાપક્ષે છોકરી પરણાવવા ના પાડી દીધી

ઘણી વખત એકદમ સામાન્ય અને ક્યારેક તો હાસ્યાસ્પદ કહી શકાય તેવી વાતના કારણે લગ્ન કરવા આવેલા જાનૈયાઓ અને યુવતીઓના સંબંધીઓ વચ્ચે તકરાર થતી હોવાના સમાચાર ઘણી વખત આવતા હોય છે. આવી ઘટનામાં ક્યારેક વાત મારામારી પર આવી જાય છે અને ક્યારેક વરરાજાને કન્યા વગર જ પાછુ ફરવું પડ્યું હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

Edited byચિંતન રામી | Agencies 16 Jun 2022, 7:05 pm

હાઈલાઈટ્સ:

  • ઉત્તર પ્રદેશમાં રસગુલ્લાના કારણે લગ્ન તૂટી ગયા, રસગુલ્લાના કારણે વાત મારામારી સુધી પહોંચી હતી
  • જાનૈયાઓમાંના એક વ્યક્તિએ રસગુલ્લા માટે કેટરર્સ સાથે ઝઘડો કરતા વાત વણસી હતી
  • પોલીસે બે જાનૈયાઓ અને કેટરર્સના માણસની અટકાયત કરી હતી જેમને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat marriage2
ઘણી વખત એકદમ સામાન્ય અને ક્યારેક તો હાસ્યાસ્પદ કહી શકાય તેવી વાતના કારણે લગ્ન કરવા આવેલા જાનૈયાઓ અને યુવતીઓના સંબંધીઓ વચ્ચે તકરાર થતી હોવાના સમાચાર ઘણી વખત આવતા હોય છે. આવી ઘટનામાં ક્યારેક વાત મારામારી પર આવી જાય છે અને ક્યારેક વરરાજાને કન્યા વગર જ પાછુ ફરવું પડ્યું હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. જેમાં એક રસગુલ્લાના કારણે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
ઉત્તર પ્રદેશમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે સંભલ જિલ્લામાં એક રસગુલ્લાના કારણે વાત એટલી બધી વણસી ગઈ કે વર-કન્યાના ફેરા જ અટકી ગયા હતા. રસગુલ્લાને લઈને હલવાઈ અને જાનૈયાઓમાં મારામારી થઈ ગઈ હતી. જેના કારણે પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી અને લગ્નની વિધી અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. બાદમાં કન્યાપક્ષે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. કન્યા અને વર પક્ષના લોકોમાં ઘણા કલાકોના પ્રયાસ બાદ સમાધાન થયું હતું.

આ ઘટના બનિયાઠેર ગામની છે. બુધવારે રાત્રે જિલ્લાના જ કુઢ ફતેહગઢના ગામ દિયોરા ખાસથી બનિયાઠેર ગામમાં જાન આવી હતી. વરરાજા શિક્ષક છે. વરરાજાને પોંખવામાં આવ્યો હતો અને જાનૈયાઓ જમણવાર કરી રહ્યા હતા. આ દરમિયાન જાનૈયામાંથી એક વ્યક્તિ રસગુલ્લાના કાઉન્ટર પર પહોંચ્યો હતો. આરોપ છે કે તેણે દારૂ પીધો હતો. સ્ટોલ પર કેટરર્સનો માણસ રસગુલ્લા પીરસી રહ્યો હતો. ત્યારે જાનૈયાએ તે વ્યક્તિ પર માંગવા છતાં રસગુલ્લા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

રસગુલ્લા ભરેલો થાળ ઉથલાવી દેવાનો આરોપ
કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પીધેલા જાનૈયાએ રસગુલ્લા ભરેલો થાળ ઉથલાવી દીધો હતો. જેને લઈને કેટરર્સના લોકો અને બે જાનૈયાઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. બાદમાં પોલીસ કેટરર્સના વ્યક્તિ અને બે જાનૈયાઓને રાત્રે જ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, આ ઘટના બાદ લગ્નની વિધી અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. હંગામો થવાના કારણે ઘણા જાનૈયાઓ રાત્રે જ પોતાના ગામ જતા રહ્યા હતા.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story