એપશહેર

સાંસદના પણ બેંક એકાઉન્ટ સલામત નહીં! 89 લાખ રુપિયા થયા ફુર્રર્રર..

છેતરપિંડીમાં કોઈ અધિકારીઓ અને બેંક કર્મચારીઓની મિલિભગત છે કે કેમ તેની પણ થઈ રહી છે તપાસ

I am Gujarat 6 Feb 2021, 6:33 pm
છપરાઃ મહારાજગંજના બીજેપી સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલના સંસદીય વિસ્તારના ભંડોળકોષના એકાઉન્ટમાંથી 89 લાખની છેતરપિંડીના મામલે કેન્દ્રિય ગૃહ સચિવે બિહારના મુખ્ય સચિવને 30 દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે, છેતરપિંડીમાં કોઈ અધિકારીઓ અને બેંક કર્મચારીઓની મિલિભગત છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.
I am Gujarat vicious blew rs 89 lakh from bihar mps bank account
સાંસદના પણ બેંક એકાઉન્ટ સલામત નહીં! 89 લાખ રુપિયા થયા ફુર્રર્રર..


ટ્રાન્સફર રકમની થઈ રહી છે તપાસ
આ ઘટનામાં તપાસની સ્થિતિની જાણકારી સાંસદને પણ આપવામાં આવી રહી છે. હકીકતમાં મહારાજગંજના સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે છેલ્લે કઈ પરિસ્થિતિઓમાં તેમના ફંડની રકમ મહારાષ્ટ્ર સ્થિત બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાંસદની ફરિયાદ પછી ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપથી મહારાષ્ટ્ર પોલીસે આરોપી બેંક ખાતેદારને અહમદનગરથી ગુરુવારે સાંજે પૂછપરછ થઈ રહી છે. મુખ્ય સચિવે સારણ કલેક્ટરને તપાસ કરીને રિપોર્ટ મોકલવાનો નિર્દેશ કર્યો છે. તાજેતરમાં આ ઘટનાને લઈને વહીવટીતંત્ર પણ તપાસમાં લાગ્યુ છે.

બે વાર ઉપડી લાખોની રકમ
હકીકતમાં સંસદીય વિસ્તારના ભંડોળકોષનું એકાઉન્ટ હથુઆ બજારની નજીકના બેંક ઓફ બરોડાના મુખ્ય બ્રાંચમાં છે. સાસંદના ખાતામાંથી પહેલીવાર 42 લાખ અને બીજી વાર 47 લાખ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્લોન ચેક દ્વારા રકમને મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના બેંક ઓફ બડૌદા બ્રાંચમાં RTGS કરવામાં આવ્યું હતું. સમગ્ર રકમ સંદીપ માંગીલાલ કોઠારીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્રણ મહિના પહેલા રુપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યુ હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ વાતની જાણકારી બેંકે મહારાજગંજ સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલને પણ આપી નહોતી.

કેન્દ્રીય ગૃહમંત્રી, નાણાંમંત્રી તેમજ લોકસભાના અધ્યક્ષને કરી ફરિયાદ
3 ફેબ્રુઆરીના રોજ એક યોજનાની લેવડદેવડ અર્થે બેંકે એક કોન્ટ્રાક્ટરને એવું જણાવ્યું કે ખાતેદારનું ખાતું હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. જેથી રુપિયા નહીં મળી શકે ત્યારે તેણે આ બાબતની જાણકારી સાંસદને આપી. સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલે આશંકા વ્યક્ત કરી હતી કે આ ઘટના અંગે બેંક મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની પણ મિલિભગત હોય શકે છે. જેથી આ ઘટના અંગે ઉંડાણથી તપાસ થવી જોઈએ જેથી દોષીઓને દંડ આપી શકાય. સાંસદે એ પણ કહ્યું કે, 'આ રીતની છેતરપિંડી કરનાર વિસ્તારને વિકાસથી વંચિત રાખવા ઈચ્છે છે.' સાંસદે એ પણ કહ્યું કે આ બાબતે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી, નાણાંમંત્રી તેમજ લોકસભાના અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો