એપશહેર

બેંકોને અબજોમાં નવડાવનારા માલ્યાએ નરેન્દ્ર મોદીને પત્ર લખી બળાપો કાઢ્યો

નવરંગ સેન | I am Gujarat 26 Jun 2018, 3:09 pm
નવી દિલ્હી: બેંકોને અબજો રુપિયામાં નવડાવીને લંડનમાં જલસા કરી રહેલા એક સમયના લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો કર્યો છે. કૌભાંડી માલ્યાએ લખ્યું છે કે, તે બેંકોની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી રહ્યો છે. પણ બેંકોને ચૂનો લગાવનારા ‘પોસ્ટર બોય’ તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે.માલ્યા હાલમાં લંડનમાં છે. તેણે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને નાણાં પ્રધાન બંનેને 15મી એપ્રિલ 2016ના રોજ પત્ર લખ્યો હતો. અને હવે હું ચીજોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છું. માલ્યાએ કહ્યું કે પીએમ કે નાણાં મંત્રી બંને માંથી કોઈએ તેનો જવાબ ન આપ્યો.ઉલ્લેખનિય છે કે માલ્યા 2016માં યુકે ભાગી ગયો હતો. અને હવે તે કૌભાંડોનો સામનો કરવા માટે ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તેનાથી બચવા પૂરી કોશિશ કરી રહ્યો છે. મોટી રકમની લોન અને મની લોન્ડરિંગ કેસમાં 62 વર્ષીય માલ્યા ભારતમાં વોન્ટેડ છે. જ્યારે બેંકોના એક સમૂહે તેને 9,000 કરોડ પાછા લેવા પ્રયાસ શરૂ કર્યા ત્યારથી તે ભારત છોડીને બહાર ચાલ્યો ગયો.વિજય માલ્યાએ કહ્યું કે હું સન્માનપૂર્વક કહ્યું છું કે મેં સરકારી બેંકોની બાકી નીકળતા રુપિયા પાછા આપવા પૂરા પ્રયાસ કર્યા છે. પણ રાજકારણથી પ્રેરિત કોઈ ફેક્ટર તેમાં શામેલ હોય તો હું કઈં પણ નહિ કહી શકું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો