એપશહેર

IIM-અમદાવાદની વિક્રમ સારાભાઈ લાયબ્રેરીને મળ્યો યુનેસ્કોનો એવોર્ડ

નવરંગ સેન | I am Gujarat 14 Oct 2019, 8:07 pm
મુંબઈઃ મુંબઈના હેરિટેજની જાળવણીના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે અને હવે શહેરના ત્રણ લેન્ડમાર્કને યુનેસ્કોનો એવોર્ડ મળ્યો છે. મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન, ભાયખલ્લા ખાતે આવેલા ગ્લોરિયા ચર્ચ અને કાલા ઘોડા ખાતે કેનેસેઠ એલિયાહો સીનાગોગ્યુને આ વર્ષે કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન માટેનો યુનેસ્કો એશિયા-પેસિફિક એવોર્ડ આપવામાં આવ્યો છે. ફ્લોરા ફાઉન્ટેનની દેખરેખ કન્ઝર્વેશન આર્કિટેક્ટ વિકાસ દિલવારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે અને તેમને હોનરેબલ મેન્શન કેટેગરી અંતર્ગત એવોર્ડ મળ્યો છે. જ્યારે એવોર્ડ ઓફ મેરિટ જ્યુઈશ સીનાગોગ્યુની સાચવણી કરી રહેલા આભા નરૈન લામ્બાને તથા ગ્લોરિયા ચર્ચની જાળવણી કરેલા ડેવિડ કાર્ડોઝ અને એન્સ્લે લૂઈસને આપવામાં આવ્યો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની વિક્રમ સારાભાઈ લાયબ્રેરીની જાણવણી કરનારા આર્કિટેક્ટ બિન્દ્રા સોમાયાને એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન આપવામાં આવ્યો છે. આ એવોર્ડ સોમવારે સવારે મલેશિયાના પેનાંગમાં જાહેર કરવામાં આવ્યા હતા. યુનેસ્કો એશિયા-પેસિફિક એવોર્ડ્સ કલ્ચર હેરિટેજ કન્ઝર્વેશન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ એવી ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિગત પણ આપવામાં આવે છે જેમણે સ્ટ્રક્ચર્સ અને હેરિટેજ બિલ્ડિંગની યોગ્ય રીતે જાળવણી કરી છે. આ વર્ષના એવોર્ડ્સમાં જ્યુરી પાંચ દેશોના 16 પ્રોજેક્ટની પસંદગી કરી હતી જેમાં ઓસ્ટ્રેલિયા, ભુતાન, ચીન, ભારત અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો