શ્રીનગર
હિજબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીના સુરક્ષાબળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોત થયા બાદ કાશ્મીરમાં વિવિધ સ્થળો પર હિંસા ભડકી ગઈ છે. શનિવારે હિંસક ભીડે પોલીસ પોસ્ટ, સુરક્ષાકર્મીઓ અને કુલગામમાં BJP ઓફિસ પર હુમલો કરી દીધો. પોલીસ અને લોકોની ઝપાઝપીમાં 3નાં મોત થયા છે અને કુલ 11 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણ પોલીસકર્મી છે. કાશ્મીરી યુવાનોએ અનંતનાગ જિલ્લાના બાંદીપુરા, કાજીગુંડ અને લાર્નૂમાં પોલીસ ચોકીઓ અને સ્ટેશનો પર પત્થરા ફેંક્યા. આ જાણકારી પોલીસ ઓફિસરે આપી છે.
બીજી તરફ સાઉથ કાશ્મીરના ત્રાલમાં હિજબુલ કમાન્ડર બુરહાન મુઝફ્ફર વાનીની અંત્યેષ્ટિમાં 20 હજારથી વધુ લોકો જોડાયા. પુલવામા જિલ્લાના ઘણાં ભાગોમાં લોકો ત્રાલના શરીફાબાદ પહોંચ્યા. અલગતાવાદીઓએ વાનીની અંત્યેષ્ટિમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે કહ્યું હતું. વાનીની સાથે બે આતંકીઓ સુરક્ષાબળના જોઈન્ટ ઓપરેશનમાં મોતને ભેટ્યા હતા. અંત્યેષ્ટિમાં જોડાયેલા લોકોએ ઈસ્લામના સમર્થન અને કાશ્મીરની આઝાદીના સૂત્રો પોકાર્યા. લોકોએ વાનીના પથ પર ચાલવાની કસમ ખાધી. અંત્યેષ્ટિવાળી જગ્યા પરથી સુરક્ષાબળને હટાવી લેવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી બચી શકાય. One killed in protests in Kulgam (J&K) over killing of Burhan Wani, Hizbul Mujahideen operative in Anantnag, yesterday. — ANI (@ANI_news) July 9, 2016 કુલગામ જિલ્લાના મીર બજાર અને દમહાલ હાંજીપુરની સાથે બારામુલા જિલ્લાના સોપોરમાં પણ હિંસક પ્રદર્શન થયું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ સાઉથ કાશ્મીરના વેસુ વિસ્તારમાં એક પોલીસ ચોકી પર લઘુમતિ સમુદાયના ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો.
હિજબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીના સુરક્ષાબળ સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોત થયા બાદ કાશ્મીરમાં વિવિધ સ્થળો પર હિંસા ભડકી ગઈ છે. શનિવારે હિંસક ભીડે પોલીસ પોસ્ટ, સુરક્ષાકર્મીઓ અને કુલગામમાં BJP ઓફિસ પર હુમલો કરી દીધો. પોલીસ અને લોકોની ઝપાઝપીમાં 3નાં મોત થયા છે અને કુલ 11 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણ પોલીસકર્મી છે. કાશ્મીરી યુવાનોએ અનંતનાગ જિલ્લાના બાંદીપુરા, કાજીગુંડ અને લાર્નૂમાં પોલીસ ચોકીઓ અને સ્ટેશનો પર પત્થરા ફેંક્યા. આ જાણકારી પોલીસ ઓફિસરે આપી છે.
બીજી તરફ સાઉથ કાશ્મીરના ત્રાલમાં હિજબુલ કમાન્ડર બુરહાન મુઝફ્ફર વાનીની અંત્યેષ્ટિમાં 20 હજારથી વધુ લોકો જોડાયા. પુલવામા જિલ્લાના ઘણાં ભાગોમાં લોકો ત્રાલના શરીફાબાદ પહોંચ્યા. અલગતાવાદીઓએ વાનીની અંત્યેષ્ટિમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે કહ્યું હતું. વાનીની સાથે બે આતંકીઓ સુરક્ષાબળના જોઈન્ટ ઓપરેશનમાં મોતને ભેટ્યા હતા. અંત્યેષ્ટિમાં જોડાયેલા લોકોએ ઈસ્લામના સમર્થન અને કાશ્મીરની આઝાદીના સૂત્રો પોકાર્યા. લોકોએ વાનીના પથ પર ચાલવાની કસમ ખાધી. અંત્યેષ્ટિવાળી જગ્યા પરથી સુરક્ષાબળને હટાવી લેવામાં આવ્યું હતું જેના કારણે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી બચી શકાય. One killed in protests in Kulgam (J&K) over killing of Burhan Wani, Hizbul Mujahideen operative in Anantnag, yesterday. — ANI (@ANI_news) July 9, 2016 કુલગામ જિલ્લાના મીર બજાર અને દમહાલ હાંજીપુરની સાથે બારામુલા જિલ્લાના સોપોરમાં પણ હિંસક પ્રદર્શન થયું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ સાઉથ કાશ્મીરના વેસુ વિસ્તારમાં એક પોલીસ ચોકી પર લઘુમતિ સમુદાયના ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો.