એપશહેર

કોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો

ચિંતન રામી | Mumbai Mirror 9 Jul 2020, 6:13 pm
I am Gujarat vital coronavirus drug remdesivir sells at ten times its market price as black marketers take over
કોરોનાની દવા રેમડેસિવિરના કાળાબજારઃ દર્દીઓના સ્વજનો પાસેથી 10 ગણી કિંમત વસૂલે છે નફાખોરો


કોરોનાની દવાના કાળાબજાર

ચૈતન્ય મારપાકવાર, યોગેશ નાઈક, લતા મિશ્રા- મુંબઈઃ કોરોના વાયરસના કટોકટીના સમયમાં કાળાબજારીઓ કમાણી કરવાનું છોડી રહ્યા નથી. જેના કારણે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને દવાના કાળાબજારને રેકેટને પકડી પાડવા માટે કહ્યું છે. કોરોનાની સારવાર માટે મહત્વની દવા 10 ગણી કિંમતે વેચાઈ રહી છે.

10 ગણી કિંમતે વેચાઈ રહી છે રેમડેસિવિર

કોરોનાની સારવાર માટે મહત્વની દવા તરીકે રેમડેસિવિરનો ઉપયોગ થાય છે અને હાલમાં આ દવા બ્લેક માર્કેટમાં તેની મૂળ કિંમત કરતા 10 ગણી કિંમતે વેચાઈ રહી છે. આ દવાની એક શીશીની મૂળ કિંમત 4100 રૂપિયા છે જ્યારે બ્લેક માર્કેટમાં તે 40,000 રૂપિયામાં વેચાઈ રહી છે. સરકાર મોટા પ્રમાણમાં આ દવા ખરીદે છે અને તેને સરકારી તથા ખાનગી હોસ્પિટલોને પૂરી પાડે છે.

BMCએ મંગાવી છે 15,000 શીશી

અત્યાર સુધી બીએમસીએ રેમડેસિવિરની 15,000 શીશીનો ઓર્ડર આપ્યો છે અને તેને 5,900 શીશીનો પ્રથમ જથ્થો મળ્યો છે. જોકે, તેના માટે આટલો જથ્થો પૂરતો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશી કંપનીઓ અને કેટલાક ભારતીય ઉત્પાદકોને મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન (એમએમઆર)માંથી જ રોજના 50 પ્રિસ્ક્રિપ્શન આવી રહ્યા છે.

કાળાબજારીઓ દર્દીઓના પરિવારજનોને લૂંટી રહ્યા છે

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ના જણાવ્યા પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ફક્ત હોસ્પિટલોને જ રેમડેસિવિરની દવા વેચી શકે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ ફાર્મસીઓ 4,500ની કિંમતે આ દવા ખરીદે છે અને બ્લેક માર્કેટમાં એક શીશીને 30,000થી 40,000 રૂપિયામાં વેચીને કોવિડ-19ના દર્દીઓના પરિવારજનોને લૂંટી રહ્યા છે. ગત મહિને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જાહેર કર્યું હતું કે સરકાર બાંગ્લાદેશની એક કંપની પાસેથી રેમડેસિવિરની 10,000 શીશી ખરીદશે.

કાળાબજારીઓ સામે ડીસીજીઆઈની લાલ આંખ

ડીસીજીઆઈ હવે આ દવાના કાળાબજાર પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે. અધિકારીઓ રેમડેસિવિરના કાળાબજાર ન થાય તે માટે તેના વેચાણ પર નજર રાખી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓને લખેલા પત્રમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા વી.જી સોમાણીએ કહ્યું હતું કે તેમને આ દવાની કાળાબજારી થતી હોવાની ઘણી ફરિયાદો મળી હતી અને તેને ઘણી ઊંચી કિંમતે વેચાતી હોવાની ફરિયાદો મળી હતી. અમે આ વાતને ગંભીરતાથી લીધી છે અને તેની સામે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.

દર્દીઓને ડ્રગ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે

કોરોનાના ચેપમાંથી મુક્ત થઈને ફરીથી કામ શરૂ કરનારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર જલિલ પાર્કરે જણાવ્યું હતું કે સરકારે આ ડ્રગની અછત દૂર કરશે તેવું કહ્યાને એક મહિનો થઈ ગયો હોવા છતાં દર્દીઓને હાલમાં આ ડ્રગ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. મારા 10 દર્દીઓને તાત્કાલિક રેમડેસિવિરની જરૂર હતી પરંતુ હું લાચાર હતો. દર્દીની સારવાર કરતી વખતે ડોક્ટર તરીકે મારી ફરજ છે કે હું તેમને જરૂરી દવાઓ પૂરી પાડુ. મારા માટે આ ઘણું પીડાદાયક છે કે હું દર્દીના પરિવારને પ્રિસ્ક્રિપ્શન લખી આપું અને તેમને દવા લાવવાનું કહું. જો મને આ દવા ન મળી શકતી હોય તો તેઓ કેવી રીતે લાવી શકશે?

સિપ્લાએ રેમડેસિવિરનું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું

ભારતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ બુધવારે રેમડેસિવિરનું જેનેરિક વર્ઝન સિપ્રેમી લોન્ચ કર્યું હતું. કંપની પ્રથમ મહિનામાં જ આ દવાની 80,000 શીશી પૂરી પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.

લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો