એપશહેર

વિવેક ઓબેરૉયે આપ્યાં શહીદોંનાં પરિવારજનોને 25 ફ્લેટ્સ...

Tejas Jinger | Navbharat Times 10 Jul 2017, 11:04 pm
I am Gujarat vivek oberoi donated 25 flats to the martyrs of sukma attack
વિવેક ઓબેરૉયે આપ્યાં શહીદોંનાં પરિવારજનોને 25 ફ્લેટ્સ...


વિવેક ઓબેરૉય

બૉલિવૂડ એક્ટર વિવેક ઓબેરૉયે છત્તીસગઢનાં સુકમામાં માઓવાદી હુમલામાં શહીદ થયેલાં 25 સીઆરપીએફ જવાનોનાં પરિવારજનોને 25 ફ્લેટ્સ આપ્યાં છે. વિવેકે આ વિશે જણાવ્યું છે કે,’સુકમામાં શહીદ થયેલાં જવાનોનાં પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. અમે તેમની શહાદતનો ઋણ ચૂકવવામાં અસમર્થ છીએ. તેથી મે આ શહીદોંના પરિવારજનોને ફ્લેટ્સ આપ્યાં છે જેથી તેઓ સારી રીતે રહી શકે.’

અક્ષય કુમારે પણ કર્યો હતો દાન

આ અગાઉ અક્ષય કુમારે પણ સુકમા હુમલામાં શહીદ થયેલાં જવાનોનાં પરિવારને રુ.1.08 કરોડ દાન કર્યા હતા. અક્ષયનાં પગલાંની કેન્દ્રિય ગૃહ મંત્રી અને સીઆરપીએફ દ્વારા ઘણી પ્રશંસા કરાઈ છે.

ગૌતમ ગંભીરે પણ કરી હતી મદદ

આ સિવાય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ સુકમા હુમલામાં શહીદ થયેલા 25 જવાનોનાં બાળકોનાં ભણતરનો ખર્ચ ઉપાડવાની જવાબદારી સ્વિકારી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો