એપશહેર

સાવધાન: પાણી બરબાદ કરશો તો જવું પડશે જેલ, દંડ પણ ભરવો પડશે

દેશમાં હવે પાણીનો વ્યય અને દુરુપયોગ કરવું દંડનીય ગુનો બની ગયો છે. તેવું કરનારને 5 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

I am Gujarat 23 Oct 2020, 11:15 pm
નવી દિલ્હી: દેશમાં પાણીનો વ્યય કરનારાએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. હકકીકતમાં, હવે કોઈપણ વ્યક્તિ અને સરકારી સંસ્થા જો પીવા યોગ્ય પાણીની બરબાદી કે કારણ વિના ઉપયોગ કરશે તો તેને એક દંડનીય ગુનો માનવામાં આવશે. આ પહેલા ભારતમાં પાણીની બરબાદીને લઈને દંડની કોઈ જોગવાઈ ન હતી. ઘરોની ટાંકીઓ ઉપરાંત ઘણી વખત ટેન્કોથી પાણી પહોંચાડતી નાગરિક સંસ્થાઓ પણ પાણીનો વ્યય કરે છે.
I am Gujarat Water wastage


સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ના નવા નિર્દેશ મુજબ, પીવા યોગ્યા પાણીનો દુરુપયોગ ભારતમાં 1 લાખ રૂપિયા સુધીના દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજાી સાથે દંડનીય ગુનો ગણાશે.
CGWAએ પાણીની વ્યય અને કારણ વિના ઉપયોગને રોકવા માટે 8 ઓક્ટોબર, 2020એ પર્યાવરણ (સંરક્ષણ) કાયદા, 1986ની કલમ પાંચમાં અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરતા ઓથોરિટી અને દેશના બધા લોકોને સંબોધિત કરતા બે પોઈન્ટસમાં પોતાનો આદેશ આપ્યો છે.

- આ આદેશ આપ્યાની તારીખથી સંબંધિત નાગરિક સંસ્થાઓ કે જે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં પાણીની આપૂર્તિ નેટવર્કને સંભાળે છે અને જેમને પાણી પુરવઠા બોર્ડ, જળ નિગમ, વોટર વકર્સ ડિપાર્ટમેન્ટ, નગર નિગમ, નગર પાલિકા, ડેવલોપમેન્ટ ઓથોરિટી, પંચાયત કે કોઈ પણ અન્ય નામથી બોલાવાય છે, તે એ સુનિશ્ચિત કરશે કે ભૂ-જળમાંથી મેળવાયેલી પોટેબલ વોટર એટલે કે પીવા યોગ્ય પાણીની બરબાદી અને તેનો કારણ વિના ઉપયોગ નહીં થાય. આ દેશનું પાલન કરવા માટે બધા એક તંત્ર વિકસાવશે અને આદેશનું ઉલ્લંઘન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

- દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂ-જળ સ્ત્રોતમાંથી મેળવાયેલા પોટેબલ વોટરનો કારણ વિના ઉપયોગ નહીં કરી શકે.

એનજીડીમાં કરાઈ હતી અપીલનેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રાજેન્દ્ર ત્યાગી અને બિન સરકારી સંસ્થા ફ્રેન્ડ્સ તરફથી ગત વર્ષે 24 જુલાઈ, 2019એ પાણીનો દુરુપયોગ રોકવા માંગ કરતી અરજી પર પહેલી વખત સુનાવણી કરી હતી. હકીકતમાં, આ મામલે લગભગ એક વર્ષથી વધુ સમય પછી 15 ઓક્ટોબર, 2020એ એનજીડીના આદેશનું પાલન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયને આધીન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ આદેશ આપ્યો છે.

Read Next Story