એપશહેર

શું પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે બધી જ ટ્રેન? જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે પહેલી ફેબ્રુઆરીથી ટ્રેન ચાલુ થઈ જશે તેવા મેસેજ

I am Gujarat 25 Jan 2021, 4:43 pm
હાલ સોશિયલ મીડિયા પર એક મોટા સમાચાર ચાલી રહ્યાં છે કે આગામી એક ફેબ્રુઆરીથી ટ્રેન સર્વિસ નોર્મલ થઈ જશે. લોકોએ આ વાતનો મતલબ એવો કાઢ્યો કે જેવી રીતે 23 માર્ચ 2020 (સંપૂર્ણપણે લોકડાઉન કાળ) પહેલા ટ્રેન જે ટાઈમટેબલ અનુસાર ચાલતી હતી તે રીતે જ ચાલશે. આવો જાણીએ કે આ સમાચાર સાચા છે કે ખોટા છે
I am Gujarat what is right about message in train service will be normal from february 1
શું પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે બધી જ ટ્રેન? જાણો શું છે હકીકત


શું છે સોશિયલ મીડિયાનો મેસેજ?
હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન સાથે જોડાયેલો એક મેસેજ ખૂબ જ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડની રસી આવી ગઈ છે. જેથી, રેલ મંત્રાલય આગામી એક ફેબ્રુઆરીથી દેશભરમાં ટ્રેન સર્વિસ નોર્મલ કરી રહી છે. આ વાતથી લોકોએ એવો મતલબ કાઢ્યો કે, ટ્રેન સેવા પહેલાની જેમ જ કાર્યરત થઈ જશે અને પછી સ્પેશ્યિલ ટ્રેનનું ચાલવું બંધ થશે. ટ્રેનના જનરલ ડબ્બામાં પહેલાની જેમ જ સફર કરી શકાશે.

ખોટા છે સમાચાર
રેલ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે આ સમાચાર સો ટકા ખોટા છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓ આવી જ રહ્યાં છે. જેથી સાવધાની રાખવી ખૂબ જ જરુરી છે. તેમનું કહેવું છે કે રેલવેએ જાણીજોઈને તો કંઈ ટ્રેન સેવા રોકી રાખી નથી. રેલવેને તો ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે કારણકે નોર્મલ સર્વિસ શરુ થાય તો જ સૌથી વધારે ટિકિટો વેંચાય છે. રેલવેએ જણાવ્યાનુસાર હાલ તો નોર્મલ સર્વિસ શરુ થવા અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

PIBએ પણ આપી ચેતવણી
કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરનાર પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો પીઆઈબીએ ગત દિવસોમાં આ જ અંગે ફેક્ટ ચેક પણ કર્યુ હતું. જેની જાણકારી ટ્વીટર પર પણ શેર કરવામાં આવી છે. જેમાં એક ટ્વીટમાં કહેવામાં આવ્યુ હતું કે,

PIBએ કરેલી ટ્વીટ


દાવોઃ એક #Morphed તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલવે બોર્ડે 1 ફેબ્રુઆરી 2021થી દરેક પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને મુસાફર સ્પેશ્યિલ ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે.
#PIBFactCheck: આ દાવો ખોટો છે.
@RailMinIndia એ આવી કોઈ જાહેરાત કરી નથી.

સ્થિતિ પર છે નજર
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જેમ જેમ કોરોના વેક્સિન આવી રહી છે તેમ તેમ લાગી રહ્યું છે કે દેશ કોરોનાની મહામારીમાંથી સામાન્ય સ્થિતિ તરફ જઈ રહ્યો છે. જ્યારે દેશમાં સ્થિતિ નોર્મલ થશે ત્યારે જ ટ્રેન સર્વિસ સામાન્ય થશે. આ પહેલા દરેક મંત્રાલયની સલાહ લેવામાં આવશે. કંઈપણ થશે તો તેની સૂચના સામાન્ય જનતાને આપવામાં આવશે.

23 માર્ચથી ઠપ છે નિયમિત સેવા
કોરોનાના કારણે દેશમાં ગત વર્ષે માર્ચ મહિનામાં જ લોકડાઉન લાગ્યું હતું. તેના એક દિવસ પહેલા જ રેલવેએ ટ્રેન સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા 23 માર્ચ 2020થી 31 માર્ચ 2020 સુધી ટ્રેન સેવા બંધ કરવાની જાહેરાત થઈ હતી. જે પછી વધારવામાં આવી હતી. તે પછી મહિનાઓ સુધી ટ્રેન સેવા ઠપ રહી હતી. જે પછી કેન્દ્રિય મંત્રાલયની લીલી ઝંડીથી 12 મે 2020થી દેશભરમાં 15 રાજધાની એક્સપ્રેસ સ્પેશ્યિલ ટ્રેન શરુ થઈ હતી. જે પછી 01 જૂન 2020થી 100 સ્પેશ્યિલ મેઈલ/એક્સપ્રેસ ટ્રેન શરુ થઈ હતી. જોકે, રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાની સ્થિતિ નોર્મલ થયા પછી જ નિયમિત સેવા ચાલુ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો