એપશહેર

Pics: 20 વર્ષ પહેલા આ શખ્સ પાસેથી પેરાગ્લાઈડિંગ શીખ્યા હતા PM મોદી

રોશન એવા પ્રથમ ટ્રેન્ડ પેરાગ્લાઇડર છે. જેમણે ભારતમાં કોમર્શિયલ પેરાગ્લાઇડિંગનું લાયસન્સ મેળવ્યું હોય.

I am Gujarat 4 Sep 2020, 9:11 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન દરમિયાન તેઓ મનાલીની મુલાકાત પણ લઈ શકે છે. જ્યાં બરુઆ ગામમાં રહેતા રોશન નામના વ્યક્તિ આતુરતાથી મોદીની રાહ જોઇ રહ્યાં છે. આશરે બે દાયકા પહેલા, રોશન જ મોદીને પેરાગ્લાઇડિંગ શીખવતા હતા. ત્યારે મોદીના હાથમાં હિમાચલ પ્રદેશની કમાન હતી. મોદીને પેરાગ્લાઈડિંગ એટલું પસંદ હતું કે 1997 માં તેઓ બે વાર મનાલી ગયા. પછી ફરી વર્ષ 2000માં મુલાકાત લીધી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે મોદીએ ઘણી વખત મનાલીની મુલાકાત લીધી હતી. તેઓ ફ્રી ટાઇમમાં પેરાગ્લાઇડિંગ કરતા હતાં. નરેન્દ્ર મોદી આવશે તેવી આશામાં રોશને એક નવું પેરાગ્લાઇડર ખરીદ્યું છે. જેનાથી દેશના વડા પ્રધાન આકાશની સફર કરશે.
I am Gujarat when narendra modi enjoyed paragliding in manali
Pics: 20 વર્ષ પહેલા આ શખ્સ પાસેથી પેરાગ્લાઈડિંગ શીખ્યા હતા PM મોદી


મોદી કરી ચૂક્યા છે સોલંગમાં પેરાગ્લાઈડિંગનો ઉલ્લેખ

આશરે બે દાયકા પહેલા, રોશન જ મોદીને પેરાગ્લાઇડિંગ શીખવતા હતા.

રોશને અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, "જ્યારે પણ મોદી સોલંગ ઘાટીમાં આવતા ત્યારે તેઓ મને ફ્લાઇટની વ્યવસ્થા કરવાનું કહેતા. તેઓ હજી પણ મને યાદ કરે છે અને સોલાંગના જૂના દિવસો વિશે વારંવાર વાતો કરે છે. તેઓ ટનલના ઉદ્ઘાટન માટે સોલાંગ ખીણમાંથી પસાર થશે. એવી પણ શક્યતા છે કે, તેઓ ફરીથી ઉડાન ભરવાની ઈચ્છા દર્શાવે. હું દરેક સાધનો સાથે તૈયાર છું. મેં તેના માટે નવું પેરાગ્લાઇડર પણ ખરીદ્યું છે." વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ 5 નવેમ્બર 2017 ના રોજ કુલ્લુની જાહેર સભામાં અને 10 મે 2019 ના રોજ મંડીમાં તે દિવસોનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાને જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ રોશનની મદદથી સોલંગમાં પેરાગ્લાઇડિંગમાં જતા હતાં.

CM બન્યા ત્યારે મોદીએ બોલાવ્યા હતા ગુજરાત રોશન પાસે નરેન્દ્ર મોદી પેરાગ્લાઇડિંગ કરતા હોય તેવી ઘણી તસવીરો છે. તેઓ દેશનાં પ્રથમ ટ્રેન્ડ પેરાગ્લાઇડર છે. જેમણે ભારતમાં કોમર્શિયલ પેરાગ્લાઇડિંગનું લાયસન્સ મેળવ્યું હોય. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા મોદી ત્રણ વખત પેરાગ્લાઇડિંગ માટે સોલંગ ગયા હતાં. ચૂંટાયા પછી, નરેન્દ્ર મોદીએ રોશનને ગુજરાતના સાપુતારામાં પેરાગ્લાઇડિંગની શક્યતાઓ તપાસવા બોલાવ્યા હતાં. 2012માં એક ટેસ્ટ ફ્લાઇટ પણ સફળ રહી હતી. જે પછી, હિમાચલના પેરાગ્લાઇડર્સ ત્યાંના વાર્ષિક પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો