એપશહેર

Ram Mandir: ...જ્યારે રામલલ્લા માટે લાવેલી ભેટ PM મોદી કારમાં જ ભૂલી ગયા

I am Gujarat 5 Aug 2020, 1:49 pm
અયોધ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના ભૂમિ પૂજનના અવસર પર રામલલ્લા માટે ખાસ ભેટ લઈને આવ્યા હતા. જોકે તેઓ રામલલ્લા માટે લાવેલી ભેટને કારમાં જ ભૂલી ગયા. પ્રધાનમંત્રી જેવા કારમાંથી ઉતરીને પરિસર તરફ આગળ વધ્યા તો તેમને તે ભેટ યાદ આવી ગઈ. પછી પ્રધાનમંત્રી જાતે કાર તરફ ચાલવા લાગ્યા પછી કારમાંથી તે ભેટ લીધી અને પૂજા સ્થળે પહોંચ્યા.
I am Gujarat modi



આજે 3 રેકોર્ડ બનાવશે PM મોદી
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં 28 વર્ષ બાદ પહોંચ્યા છે. તેઓ એકસાથે ત્રણ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તેઓ શ્રીરામ જન્મભૂમિ જનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. આ દેશમાં પહેલીવાર હશે, જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યાના હનુમાનગઢીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ સાથે જ દેશના સાંસ્કૃતિક પ્રતિક સમાન કોઈ મંદિરના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લેનારા પહેલા પ્રધાનમંત્રીના નામ તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ નોંધાશે. આ જાણકારી ભૂમિ પૂજન સાથે જોડાયેલા સૂત્રોએ આપી છે.

પ્રધાનમંત્રી મોદી આ પહેલા 28 વર્ષ પહેલા 1992માં પહેલીવાર અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે તેઓ બીજેપાના તે સમયના અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં નીકળેલી ત્રિરંગા યાત્રામાં તેમના સહયોગી તરીકે અયોધ્યા પહોંચ્યા હતા. આ યાત્રા કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની માગણીને લઈને નીકળી હતી.

કહેવાઈ રહ્યું છે કે જાન્યુઆરી 1992માં કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા 18 જાન્યુઆરી 1992એ અયોધ્યા પહોંચી હતી. ત્યારે મુરલી મનોહર જોશી સાથે નરેન્દ્ર મોદીએ ફૈઝાબાદ (અયોધ્યા)ના GIC મેદાનમાં સંભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રામલલ્લાના પણ દર્શન કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો