એપશહેર

Nasal Spray Vaccine: Covid-19નો બૂસ્ટર ડોઝ લઈ ચૂકેલા નહીં લઈ શકે નેઝલ વેક્સિન, કેમ?

ભારત સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આગામી મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં લોકોને બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સિન આપવામાં આવશે એવા રિપોર્ટ સામે આવ્યા છે. આ નેઝલ વેક્સિનમાં સોય નહીં હોય અને તે નાકમાં સ્પ્રેની જેમ આપવામાં આવશે. ત્યારે જે લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો હશે તેવા લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવશે નહીં. આ પાછળનું કારણ પણ રસપ્રદ છે.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 28 Dec 2022, 8:50 am

હાઈલાઈટ્સ:

  • નેઝલ વેક્સિનને ભારત સરકારે આપી દીધી છે મંજૂરી
  • આગામી જાન્યુઆરીમાં આપવામાં આવશે બૂસ્ટર ડોઝ
  • નેઝલ વેક્સિનમાં સોય નથી, નાકમાં સ્પ્રે કરાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Nasal Spray Vaccine.
ડૉક્ટર એનકે અરોરાના જણાવ્યા મુજબ, આ નેઝલ વેક્સિન પહેલાં બૂસ્ટર ડોઝ તરીકે ભલમાણ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ભારતમાં જે લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો હશે એવા લોકોને આ વેક્સિન આપવામાં આવશે નહીં. નેઝલ વેક્સિન iNCOVACC ગયા અઠવાડિયે કોવિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ડૉક્ટર એનકે અરોરાના જણાવ્યા મુજબ, આ નેઝલ વેક્સિન પહેલાં બૂસ્ટર ડોઝ તરીકે ભલમાણ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિએ પહેલાંથી જ સાવચેતીનો ડોઝ મેળવ્યો હોય તો એ એવા વ્યક્તિઓ માટે નથી. આ વેક્સિન એવા લોકો માટે છે કે જેઓએ સાવચેતીનો ડોઝ લીધો નથી.
આ લોકો નહીં લઈ શકે નેઝલ વેક્સિન
ડૉક્ટર અરોરા NTAGIના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ છે. જે રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથ તરીકે છે. જે નવી રસીઓ રજૂ કરવા અને રસીકરણ કાર્યક્રમને મજબૂત કરવાની દિશામાં કામ કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જે વ્યક્તિએ બૂસ્ટર ડોઝ લીધો છે તેઓ નેઝલ વેક્સિન લઈ શકે છે કે નહીં. ત્યારે તેઓએ જણાવ્યું કે, કાર્યક્રમ મુજબ નહીં. કોવિન ચોથો ડોઝો સ્વીકાર નહીં કરી શકે.
ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકોને એસસીનો દરજ્જો મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો
તો શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશે
ડૉક્ટર અરોરાએ જણાવ્યું કે, માની લો કે તમે ચોથો ડોઝ લેવા માગતા હોવ તો એવી ધારણ છે કે જેને એન્ટિનસ સિંક કહેવમાં આવે છે, એ મુજબ જો કોઈ વ્યક્તિને વિશેષ પ્રકારના એન્ટિનની સાથે વારંવાર ઈમ્યુનાઈઝ કરવામાં આવે તો શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશે અથવા ખરાબ પ્રતિક્રિયા આપે છે. એટલે શરુઆતમાં mRNA વેક્સિ છ મહિના અંતરે આપવામાં આવે છે. પછી લોકો ત્રણ મહિનાના અંતરે લે છે. પરંતુ તે કિસ્સામાં વધુ ફાયદો થયો નથી. જેથી કરીને ચોથો ડોઝ લેવાનો કોઈ મતલબ નથી.

એન્ટિ પોઈન્ટ વેક્સિનનું શ્વન તંત્ર
ડૉક્ટર અરોરાએ કહ્યું કે, એન્ટિ પોઈન્ટ વેક્સિનનું શ્વન તંત્ર છે. નામ અને મોં જ્યાં રોગ પ્રતિકારક તંત્ર અવરોધો બનાવે છે, વાયરસને સિસ્ટમમાં સરળતાથી પ્રવેશતા અટકાવે છે. તે માત્રત કોવિડ સામે લડવામાં મદદ કરશે એટલું જ નહીં, પરંતુ શ્વસન તંત્ર તમામ વાયરસ અને ચેપ માટે એક એવું પ્લેટફોર્મ છે કે જે તેમની સામે લડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ફ્રાંસમાં નોકરીને ઠોકર મારી યુવક ગામડે પરત ફર્યો, બંજર જમીનને હરિયાળીથી ભરી દીધી, હવે બદલાઈ ગયુ ગામનું નસીબ
ઉત્તર અમેરિકા, યૂરોપમાં હજુ પણ સંક્રમણ
ડૉક્ટર અરોરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું નેઝલ વેક્સિનના બૂસ્ટર ડોઝ બાદ લોકોને બૂસ્ટર લેવાની જરુર પડશે. ત્યારે તેઓએ જવાબ આપ્યો કે, આ સમયે વૈજ્ઞાનિક જવાબ છે કે આ વાતનો કોઈ પુરાવો નથી અને રસીની જરુર પડશે કે નહીં. ત્યાં સુધી કે જે દેશોમાં પણ લોકોએ ત્રણ રસી લીધી છે. રસી ચાર કે પાંચ ડોઝ વિશેષ રુપે ઉત્તર અમેરિકા અને યૂરોપમાં આ એણઆરએસ વેક્સિન, પરંતુ તેઓ સતત સંક્રમણથી પીડિત છે.
Read Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story