એપશહેર

કોણ છે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ, જે CDS તરીકે બિપિન રાવતનું સ્થાન લેશે?

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. સરકારે બુધવારે તેમના નામ પર મહોર મારી દીધી છે. અનિલ ચૌહાણ સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. બિપિન રાવતના નિધન બાદ આ પદ ખાલી હતું. બિપિન રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નવા CDS પર મોટી જવાબદારી હશે.

Edited byદીપક ભાટી | Navbharat Times 28 Sep 2022, 8:52 pm
નવી દિલ્હી: લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ (Anil Chauhan)આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. સરકારે બુધવારે તેમના નામ પર મહોર મારી દીધી છે. બિપિન રાવત (Bipin Rawat)ના નિધન બાદ આ પદ ખાલી હતું. બિપિન રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અનિલ ચૌહાણ સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. વર્તમાનમાં ચૌહાણ NSCSના લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગયા વર્ષે મે મહિનામાં નિવૃત્ત થયા બાદથી આ ભૂમિકામાં હતા. બાલાકોટમાં જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ડીજીએમઓ હતા. ઉપરાંત ઓપરેશન સનરાઇઝ તેમના જ મગજની ઉપજ હતી.
I am Gujarat Anil Chauhan New CDS
બિપિન રાવતના નિધન બાદ CDSનું પદ ખાલી હતું


આર્મીમાં 40 વર્ષથી વધુનો અનુભવ
સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) PVSM, UYSM, AVSM, SM, VSMને આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. અનિલ ચૌહાણની આર્મીમાં 40 વર્ષથી વધુની કારકિર્દી છે. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે અનેક આદેશોની લગામ પોતાના હાથમાં રાખી છે. તેમની પાસે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે.

અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. તેઓ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં સામેલ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ તરીકે તેમણે ઉત્તરી કમાન્ડમાં નિર્ણાયક બારામુલ્લા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે ઉત્તરપૂર્વમાં કોરની કમાન સંભાળી. સપ્ટેમ્બર 2019માં તેઓ ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા. તેઓ મે 2021માં તેમની નિવૃત્તિ સુધી આ પદ પર રહ્યા હતા.

ચૌહાણને અનેક સૈન્ય સન્માનોથી નવાજવામાં આવ્યાઆ કમાન્ડ નિયુક્તિઓ ઉપરાંત ચૌહાણે મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલના ચાર્જ સહિત મહત્વપૂર્ણ સ્ટાફ નિમણૂકો પણ સંભાળી હતી. આ પહેલા ચૌહાણ અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં પણ સેવા આપી ચૂક્યા છે. ચૌહાણ 31 મે 2021ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતોમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. આર્મીમાં તેમની શાનદાર અને વિશિષ્ટ સેવા માટે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story