એપશહેર

UP Election: કોંગ્રેસનો CMનો ચહેરો કોણ? પ્રિયંકા ગાંધીએ કર્યો મોટો ધડાકો

UP ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી સીએમ પદ માટે કોણ દાવેદાર હશે? આ સવાલ પણ સહજ હતો અને પ્રિયંકા ગાંધીએ ખૂબ જ સહજતાથી જવાબ પણ આપ્યો મોટો ખુલાસો કર્યો છે

I am Gujarat 21 Jan 2022, 5:10 pm

હાઈલાઈટ્સ:

  • પ્રિયંકા ગાંધીએ ઈશારામાં જણાવી દીધુ કે યુપીમાં કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે
  • પત્રકારો દ્વારા પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહી આ વાત
  • પાર્ટીનો યુથ મેનિફેસ્ટો દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા રોજગારી પર સવાલ
  • યુપીમાં કોગ્રેસ સરકાર બને તો 20 લાખ રોજગાર આપવાનો કર્યો વાયદો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat priyanka
લખનૌઃ કોંગ્રેસના યુપી પ્રભારી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા યુપીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર છે? આ વાતનો ખુલાસો પ્રિયંકા ગાંધીએ કર્યો છે. તેમણે ઈશારામાં આ વાત કહી હતી. શુક્રવારે પાર્ટી તરફથી યુપી ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ સમયે પત્રકારો દ્વારા પ્રિયંકા ગાંધીને સીએમ પદના દાવેદાર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારે પ્રિયંકા ગાંધીએ સહજતાથી જવાબ આપ્યો હતો. પત્રકારોએ પૂછ્યું કે, યુપીમાં પંજાબની જેમ કલેક્ટિવ લીડરશિપ હેઠળ ચૂંટણી લડવામાં આવશે? ત્યારે પ્રિયંકા ગાંધીએ આનો જવાબ આપતા કહ્યું કે, બીજુ કોઈ દેખાય છે? ચારેકોર એક જ ચહેરો દેખાય છે, એ પછી આ પ્રકારનો સવાલ જ ઊભો થતો નથી. આની સાથે જ પ્રિયંકા ગાંધીએ દેશના સીએમ પદના ચહેરા પરથી પડદો પણ ઉઠાવ્યો. આ કાર્યક્રમમાં સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા.
પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની સ્થિતિની વાત કરતા યોગી સરકાર પર આકરા પ્રહાર કરતા રોજગારીના મુદ્દા પર ચર્ચા કરી હતી. રોજગાર દરમિયાન થતી પરીક્ષાઓમાં આચરવામાં આવતી છેતરપિંડી અને કૌભાંડની વાત કરી. જ્યારે પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ તરફથી પ્રદેશમાં સીએમનો ચહેરો કોણ હશે? ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજુ કોઈ દેખાય છે? પંજાબની જેમ અહીં પણ સંકલિત નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધૂ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની બંને મુખ્યમંત્રી પદના દાવેદાર છે.
સમાજ, આગેવાન મિત્રો ઈચ્છશે ત્યારે ચોક્કસપણે રાજકારણમાં આવીશ: નરેશ પટેલ
વિધાનસભા ચૂંટણી લડશે?
પ્રિયંકા ગાંધીએ આ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાના કોઈ સંકેત આપ્યા નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મેં ચૂંટણી લડવાનું હજુ વિચાર્યુ નથી. તેઓએ સ્વીકાર્યુ કે, તે પોતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ચહેરો છે. આ ખુલાસા બાદ પ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. આ રીતે પ્રિયંકા ગાંધીએ સંકેતોમાં આવી વાત કરી નથી. એટલે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, તે પોતાને ભાજપના સીએમ ફેસ યોગી આદિત્યનાથ, સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતીની સમકક્ષ પોતાને લાવી ચૂક્યા છે.

20 રોજગારી આપવાનો વાયદો
પ્રિયંકા ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, યુવાઓ સાથે વાત કરવામાં આવી છે. અમે યુપીમાં 20 લાખ નોકરીઓ આપીશું. જેમાંથી 8 લાખ નોકરીએ મહિલાઓ માટે સુરક્ષિત રાખવામાં આવશે. આ કેવી રીતે કરવું એની પણ વાત થઈ ચૂકી છે. 12 લાખ પદ તો હજુ પણ ખાલી છે. અમે જોબ કેલેન્ડર બનાવીશું અને તેનું કડકાઈથી પાલન પણ કરાવીશું. ભરતી પરીક્ષાઓ માટે ફી નહીં લઈએ. પરીક્ષા આપવા માટે જવાનું થાય તો ટ્રેન અને બસની મુસાફરી પણ ફ્રીમાં રહેશે.
સોમનાથમાં નવનિર્મિત અતિથિગૃહનો PM મોદીએ કરાવ્યો વર્ચ્યુઅલ પ્રારંભ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું એ વાતથી ચિંતિત છું કે, પરીક્ષાઓ લીક થઈ રહી છે. અમારી સરકાર બનશે તો અમે વાયદા પાળીશું. અમે સકારાત્મક પ્રચાર કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે વિકાસની વાત પણ થાય. યુવાઓના ભવિષ્યની વાત કરવામાં આવે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન 7 કરોડ યુવાઓની આશાના દસ્તાવેજ પણ રજૂ કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો