એપશહેર

એક સવાલ, શા માટે બાપુને નોબેલ પીસ પ્રાઇઝ નથી મળ્યું?

Mitesh Purohit | TNN 2 Oct 2019, 10:56 am
અજીત ઘોષ, ઓસ્લોઃ આ એક પ્રકારે પોતાની ભૂલની સ્વીકારોક્તિ છે જેણે મહાત્મા ગાંધીજીએ પોતે પણ વખાણી હોત. જ્યારે નોર્વેયન નોબેલ કમિટીના સેક્રેટરી ગૈર લુન્ડસ્ટેડે પોતે કહ્યું કે, ‘પાછલા 106 વર્ષના ઇતિહાસમાં અમારી સૌથી મોટી ભૂલ એ છે કે અમે મહાત્મા ગાંધીને નોબેલ પીસ પ્રાઇઝ આપી શક્યા નથી. આ અમારી ભૂલ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.’હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:નોબેલ પીસ પ્રાઇઝ માટે ગાંધીજીને એક-બે નહીં પૂરા પાંચવાર શોર્ટ લિસ્ટેડ કરવામાં આવ્યા હતા, 1946,1947, 1948 અને બેવાર બીજા વિશ્વયુદ્ધની પહેલા. સેક્રેટરી લુંડસ્ટેડે એજ રુમમાં બેસીને આ વાત કહી જ્યાં નોબેલ કમિટી બેસીને કોને પ્રાઇઝ આપવું તે નક્કી કરે છે. તેણણે કહ્યું કે, “આ એક ઐતિહાસિક તથ્ય રહેશે કે ગાંધીને ક્યારેય નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું નથી.’તેમણે પોતાની વાત આગળ કરતા કહ્યું કે, “ગાંધીને નોબેલ ન મળવા પાછળ અન્ય પરિબળોની સાથે નોબેલ પ્રાઇઝ વિનર નક્કી કરતી સમિતિના સભ્યોનો યુરોપ કેન્દ્રિત દ્રષ્ટિકોણ પણ જવાબદાર છે.’ ‘હકીકતમાં, બ્રિટિશ કોલોનીઝમાં જ્યાં સ્વતંત્રતા સંગ્રામ ચાલતો હતો તેના ભાગ્યે જ વખાણ કરવામાં આવતા હતા. તેમજ એકથી વધુવાર નામાંકન થયું હોવા છતા સભ્યોએ નાના નાના કારણે ગાંધીજીના નામ પર ચોકડી મુકી હતી. જેમ કે ‘અસંગત શાંતિવાદ’નું કારણ આગળ ધરી ગાંધીને નોબેલ પ્રાઇઝથી દૂર રખાયા.’લુંડસ્ટેડે ગાંધીગીરીની જેમ પોતાની અંદરથી આવતો અવાજ હોય તેમ કહ્યું કે, ‘ગાંધી તો નોબેલ શાંતિ પુરસ્કાર વગર પણ કરી શક્યા પરંતુ પ્રશ્ને એ છે કે શું નોબેલ સમિતિને ગાંધી વગર ચાલી શકે છે?’લુંડસ્ટેડે છેલ્લે ઉમેર્યું કે, કમિટી સભ્યો 1948માં વધતા ઓછા પ્રમાણે ગાંધીને નોબેલ પ્રાઇઝ આપવા માટે સહમત થાય હતા જોકે ત્યારબાદ ટૂંકમાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી.Video: 150મી જન્મજયંતીએ PM મોદીએ બાપુને આપી શ્રદ્ધાંજલી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો