એપશહેર

આ ગામમાં 5 દિવસથી નદી ખોદી રહ્યાં છે લોકો, આવું છે કારણ

સોનાના સિક્કા નીકળવાની અફવાથી લોકો નદીએ પહોંચ્યા હતાં અને કાદવ-કીચડ ઉલેચવાનું શરુ કર્યુ હતું

I am Gujarat 9 Jan 2021, 9:24 pm
રાજગઢઃ મધ્યપ્રદેશના રાજગઢમાં સોનાના સિક્કાની શોધમાં સમગ્ર ગામ પાર્વતી નદી ખોદવામાં લાગી ગયું છે. ગત પાંચ દિવસોથી મોટા, આબાલવૃદ્ધ સહિત મહિલાઓ પણ અલગ અલગ જગ્યાએ નદીને ખોદીને સોનાના સિક્કાની શોધમાં લાગ્યા છે. રાજગઢ જિલ્લાના શિવપુરા અને ગણુપુરા ગામમાં પાર્વતી નદીમાંથી સોનાના સિક્કા નીકળવાની અફવા એવી રીતે ફેલાઈ કે લોકોએ નદી જ ખોદવાનું ચાલુ કર્યુ હતું. એક પછી એક ગામના અનેક લોકો નદીએ પહોંચ્યા હતાં અને કાદવ-કીચડ ઉલેચવાનું શરુ કર્યુ હતું. જોકે, કોઈને પણ એક સિક્કો મળ્યો નહોતો. જોકે, પાંચ દિવસથી આ ગામલોકો નદી ઉલેચી રહ્યાં છે.
I am Gujarat why people are digging parvati river in 2 villages of rajgadh
આ ગામમાં 5 દિવસથી નદી ખોદી રહ્યાં છે લોકો, આવું છે કારણ


મુગલકાળના સિક્કા મળવાની ફેલાઈ અફવા
પાર્વતી નદીના કિનારે જ કુરાવર પાસે નાના સાહેબ મરાઠા રાજાની સમાધિ છે. આ રસ્તે મુગલ પણ નીકળા હતાં. આથી હવે જ્યારે ગામના લોકોને સૂચના મળી કે કોઈને નદીમાં 8-10 મુગલકાળના સિક્કા મળ્યા છે તો તેમણે પણ આ અફવાને સાચી માની હતી.

આ કારણે લોકોએ માની અફવા
શિવપુરા ગામ સીહોર અને રાજગઢ જિલ્લાની સરહદ પર સ્થિત છે. પાર્વતી નદી હાલ આ બન્ને જિલ્લામાંથી પસાર થાય છે. પાંચ દિવસ પહેલા ગામ લોકો વચ્ચે અફવા ફેલાઈ હતી કે નદીમાંથી સોના-ચાંદીના સિક્કા નીકળી રહ્યાં છે. અફવા ફેલાતા જ લોકો નદી તરફ દોટ મૂકી અને નદી ખોદવામાં લાગી ગયા હતાં.

Read Next Story