એપશહેર

બાળા સાહેબની શિવસેના આખરે અમિત શાહના ભાજપ સામે કેમ લાચાર?

Mitesh Purohit | I am Gujarat 11 Oct 2019, 1:53 pm
નવીન, મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીની સામે શિવસેનાનો પ્રભાવ કે રુઆબ કેવો હતો તેનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે બાળા સાહેબ ઠાકરે ભાજપ માટે એક કોડ વર્ડ ઉપયોગ કરતા હતા ‘કમલા બાઈ’. તેમના જીવતા શિવસેના ક્યારેય ભાજપ સામે ઝુક્યું નથી, ઉલ્ટાનું બાબા સાહેબ ઠાકરે ઘણીવાર એવું કહેતા સાંભળવામાં આવ્યા છે કે કમલા બાઈ એ જ કરશે જે હું કહીશ. તેમણે ક્યારેય સહયોગી દળ તરીકે ભાજપનું શું સ્ટેન્ડ હશે તે અંગે પરવાહ કરી નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: 2007માં તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૈરોસિંહ શેખાવતની જગ્યાએ કોંગ્રેસ ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપીને બધાને ચોંકાવી દીધા. બાલા સાહેબ ઠાકરે પોતાના આખા જીવનમાં ક્યારેય ભાજપના કોઈપણ નેતા પાસે તેમના ઘરે રાજકીય મુદ્દે ચર્ચા કરવા ગયા નથી. પરંતુ જ્યારે પણ જરુરિયાત પડી ભાજપના ટોચના નેતાઓ મુંબઈ પહોંચીને બાળા સાહેબના દરબારમાં હાજરી આપતા હતા. બાળા સાહેબે જે કહ્યું તે જ અંતિમ વાક્ય ગણવામાં આવતું હતું અને ભાજપના નેતાઓ પણ નતમસ્તક થઈ તેમનો પડ્યો બોલ ઝિલતા હતા પરંતુ આ તે સમયની વાત છે જ્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ નહોતા બન્યા. અમિથ શાહ અધ્યક્ષ બન્યા અને અને ભાજપ એક નવા જ રુપમાં આવી ગયું હવે ભાજપ નહીં શિવસેનાને પોતાના અસ્તિત્વની ચિંતા થવા લાગી. આ જ મજબૂરીને લઈને મહારાષ્ટ્રમાં પહેલીવાર વિધાનસભા બેઠક ચૂંટણીમાં શિવસેના ભાજપના જૂનિયર પાર્ટનર તરીકે મેદાનમાં ઉતરશે. વર્ષ 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપના જુનિયર ન બનીને ચૂંટણી લડવાના પોતાના નિર્ણયનું પરિણામ શિવસેનાએ જોઈ લીધું છે. જુનિયર પાર્ટનર તરીકે શિવસેનાને આ વખતે 124 બેઠકો જ મળી છે જેના કારણે રાજ્યમાં એકલા પોતાની સરકાર બનાવવાની તેની ઇચ્છા પર ચૂંટણી પહેલા જ પાણી ફરી વળ્યું. કેમ થઈ આવી સ્થિતિ? આ માટે બે કારણોને જવાબદાર ઠેરવી શકાય. એક તો શિવસેના પાસે હવે બાળા સાહેબ ઠાકરે જવું નેતૃત્વ નથી. 2012માં તેમના નિધન બાદ શિવસેનામાં પણ બે ભાગલા પડી ગયા અને બીજુ 2014માં ભાજપને નરેન્દ્ર મોદીના સ્વરુપે મજબૂત નેતૃત્વ મળ્યું. બીજુ શિવસેના જે ઉગ્ર હિંદુત્વવાદના ઝંડો લઈને આગળ ચાલતી હતી તેની આ વિશેષતા હવે ભાજપના હાથમાં ચાલી ગઈ છે. મહારાષ્ટ્રના રાજકરણમાં શિવસેનાનો દબદબો એટલા માટે હતો કે તે મુસલમાન અને પાકિસ્તાન જેવા મુદ્દે કોઈપણ આડંબર, ડોળ દેખાવ કર્યા વગર સ્પષ્ટ વક્તાની જેંમ બોલતી હતી. જ્યારે ભાજપ ખૂબ જ તોળી તોળીને શબ્દો બોલતી પાર્ટી હતી. એક વાજપેયીનો યુગ હતો જ્યારે તે પાકિસ્તાન સાથે સતત મિત્રતાની વકીલાત કરતો હતો. જ્યારે અમિત શાહવાળી ભાજપે તો કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા જેવા નિર્ણયને લેવા પાછળ જરા પણ ઢિલાસ દેખાડી નહીં. NRCને લઈને ભાજપે પોતાની હિંદુત્વની છબીને વધુ મજબૂત કરી છે. જેના કારણે શિવસેના હવે ઘણું પાછળ રહી ગઈ છે. 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકમાં ભાજપે જે વધુ બેઠક જીતીને તેને જે ઝટકો આપ્યો હતો તેમાંથી શિવસેના હજુ સુધી ઉભરી શકી નથી. તેની પાસે ભાજપને બિગ બ્રધર તરીકે સ્વિકાર્યા સિવાય હવે કોઈ વિકલ્પ જ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો