એપશહેર

...તો ભાજપમાં જઈને દાદી વિજયરાજે સિંધિયાનું સપનું પૂરું કરશે જ્યોતિરાદિત્ય?

Mitesh Purohit | Navbharat Times 10 Mar 2020, 10:10 am
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજનીતિમાં મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા હાલ બંડ પોકારવાના મૂડમાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી ચારવાર સાંસદ અને કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની દાદી વિજયરાજે સિંધિયાના સપનાને પૂરું કરશે. જનસંઘના સંસ્થાપક સદસ્યોમાંથી એક રહેલા રાજમાતા નામથી જાણીતા વિજયરાજે સિંધિયા ઇચ્છતી હતી કે ભારતીય જનતા પાર્ટી ભાજપમાં રહે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ગ્વાલિયર પર રાજ કરનાર રાજમાતા વિજયરાજે સિંધિયાએ 1957માં કોંગ્રેસમાંથી પોતાની રાજનીતિની શરુઆત કરી હતી. તેઓ ગુના લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા. જોકે 10 જ વર્ષમાં કોંગ્રેસથી તેમનો મોહભંગ થઈ ગયો હતો. 1967માં તેઓ જનસંઘમાં ચાલ્યા ગયા હતા. લોકો વચ્ચે તેમનો પ્રભાવ એટલો હતો કે 1971માં ઈંદિરા ગાંધીની લહેર હોવા છતા જનસંઘ અહીંની ત્રણેય બેઠકો પર જીત્યું હતું. જેમાં વિજયારાજે સિંધિયા ભિંડથી અટલ બિહારી વાજપેયી ગ્વાલિયર અને ગુનાથી વિજયરાજે સિંધિયાના દીકરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા ગુનાથી સાંસદ બન્યા હતા.જોકે માધવરાવ સિંધિયા બહુ લાંબો સમય સુધી જનસંઘ સાથે જોડાયેલા ન રહ્યા અને તેમણે 1977માં કોંગ્રેસનો પંજો પકડી લીધો. જેની ટિકિટ પર તેઓ ચૂંટણી લડીને જીત્યા અને કેન્દ્રીય પ્રધાન પણ બન્યા. તેમનો જ વારસો મહારાજા તરીકે હુલામણા નામે મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓળખાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાળવી રાખો અને કોંગ્રેસમાં રહ્યા જોકે 2019માં તેમને બે મોટા ઝટકા લાગ્ય ન તો તેમને મધ્ય પ્રદેશના સીએમ બનાવવામાં આવ્યા ત્યારબાદ લોકસભામાં ચૂંટણીમાં મોદી લહેરમાં તેમનો પરાજય થયો બાદ પક્ષમાં તેઓ લગભગ એકલા પડી ગયા.જોકે જ્યોતિરાદિત્ય સિંધિયા ભલે હારી ગયા હોય તેમ છતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 23 ધારાસભ્યો તેમની સાથે છે અને તેમાંથી 6 મધ્યપ્રદેશમાં મંત્રી પણ બન્યા અને હવે તેમણે જ કોંગ્રેસ સરકારને ભીંસમાં લીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ અનેકવાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું અધ્યક્ષ પદ માગ્યું તેમ છતા મળ્યું નથી જેના કારણે પણ તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. રાજનીતિના પંડિતો કહે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા આ વખતે કોઈપણ રીતે સમાધાનના મૂડમાં નથી. ત્યારે માનવમાં આવી રહ્યું છે કે તેઓ પોતાની દાદીનું સપનું કે સંપૂર્ણ સિંધિયા પરિવાર ભાજપમાં રહે તેને પૂરું કરવા જઈ રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો