એપશહેર

મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન આવશે? 8-10 દિવસમાં લેવાશે નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપ ઘટી છે, પણ હજુ રોજના 5થી 6 હજાર કેસ નોંધાઈ રહ્યા છે તેના પગલે ફરીથી લોકડાઉન કરાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

I am Gujarat 22 Nov 2020, 7:02 pm
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ઝડપ આમ તો ઘણી ઓછી થઈ છે, પરંતુ હજુ પણ રોજના 5થી 6 હજાર દર્દીઓ આવી રહ્યા છે. શનિવારે પણ રાજ્યમાં કોરોનાના 5,760 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસ પર સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા માટે ફરીથી થોડા દિવસ માટે લોકડાઉન કરવામાં આવે કરે તેવી શક્યતા છે. જોકે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે હાલમાં આવી કોઈ શક્યતાનો ઈનકાર કર્યો છે.
I am Gujarat Ajit Pawar
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ફાઈલ તસવીર


રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, 'દિવાળી દરમિયાન રાજ્યભરમાં ભારે ભીડ જોવા મળી. ગણેશ ચતુર્થી દરમિયાન પણ આવી જ ભીડ જોવા મળી હતી. અમે સંબંધિત વિભાગો સાથે વાત કરી રહ્યા છીએ. હાલ અમે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હજુ 8-10 દિવસ અમે સ્થિતિની સમીક્ષા કરીશું, અને તે પછી લોકડાઉન લગાવવા અંગે કોઈ નિર્ણય લેવાશે.'

મહારાષ્ટ્રમાં કેવી છે કોરોનાની સ્થિતિ?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા શનિવારે વધીને 17,74,455 થઈ ગઈ છે. રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા 46,5573 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 16,47,004 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. હાલમાં લગભગ 80 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

દિલ્હીથી આવતા વિમાનો-ટ્રેનો પર મૂકાશે પ્રતિબંધ?મહારાષ્ટ્ર સરકાર દિલ્હીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે ત્યાંથી આવતી ટ્રેનો અને વિમાનોને સ્થગિત કરવા પર વિચાર કરી રહી છે. પ્રધાન સચિવ સંજય કુમારે કહ્યું કે, 'રાજ્યમાં આ વાયરસને ફેલાતો રોકવા માટે જુદા-જુદા ઉપાયો પર ચર્ચા ચાલી રહી છે અને દિલ્હીથી ટ્રેનો અને વિમાનોની અવર-જવર રોકવી તેમાંથી એક છે.' તેમણે કહ્યું કે, 'જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી.'

Read Next Story