એપશહેર

મોદી સરકાર રેલવે સર્જ પ્રાઈઝિંગ પાછું ખેંચી લેશે?

I am Gujarat 10 Sep 2016, 5:53 pm
રેલવેએ રાજધાની, શતાબ્દિ અને દુરંતો એ ત્રણ પ્રિમિયમ ટ્રેનોમાં સર્જ પ્રાઇઝિંગની એરલાઇન્સ જેવી ફોર્મ્યૂલા લાગુ પાડવાની જાહેરાત કરી છે તેની સામે ધીમે ધીમે વિરોધનો સૂર વધી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે રેલવેએ પ્રવાસી ભાડામાં સુધારાવધારા માટે આવા મનસ્વી નિર્ણયો કરવાને બદલે ફેર રેગ્યુલેટરી ઓથોરિટી બનાવી દેવી જોઇએ. બીજી બાજુ તમામ વિપક્ષોએ આ નિર્ણયની ટીકા કરી છે. ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે પોતે રેલવેના પ્રવાસી ભાડાંમાં વધારો કર્યા સિવાય જ કેવી રીતે તેની આર્થિક હાલત સુધારી હતી તેની બડાઇઓ હાંકી કાઢી છે.
I am Gujarat will modi government withdraw railway surge pricing
મોદી સરકાર રેલવે સર્જ પ્રાઈઝિંગ પાછું ખેંચી લેશે?


સોશિયલ મીડિયા પર ભાજપ સમર્થકોએ દબાયેલા સૂરે આ સર્જ પ્રાઇઝિંગની તરફેણ કરવાનો પ્રયાસ કરી જોયો પરંતુ પછી પબ્લિકનો એકંદર મૂડ વિરોધનો હોવાનું લાગતાં તેમણે વાવટો સંકેલી લીધો હતો. એવી દલીલ બળવત્તર બની રહી છે કે આ સર્જ પ્રાઇઝિંગથી રેલવે જ નુકસાન થશે કારણ કે પ્રિમિયમ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો એર ટ્રાફિક તરફ વળી જશે. આ મુદ્દે હવે નરેન્દ્ર મોદી સરકાર કેટલા દિવસો સુધી અડગ રહેશે તે અંગે જાત જાતની અટકળો વહેતી થઇ ગઇ છે. એક વર્ગ માને છે કે જીએસટી મુદ્દે સફળતા મળ્યા પછી હવે મોદી સરકાર લોકપ્રિય ના હોય તેવાં કઠોર આર્થિક પગલાં ભરતાં ખચકાશે નહીં પરંતુ ભાજપના જ વર્તુળો સ્વીકારે છે કે મોદી સરકાર રાજકીય વિરોધ સામે ઝાઝા દિવસો ટકી શકતી નથી.

પીએફના ઉપાડ પર ટેક્સના મામલે નાણા પ્રધાન અરૂણ જેટલીએ છેલ્લી ઘડી સુધી બહાદૂરીનો દેખાવ કરી અડગતા જાળવી રાખી હતી પરંતુ રાજકીય વિરોધના પ્રેશર સામે તેઓ ટકી શક્યા ન હતા. આ મામલે પણ સરકાર પારોઠના પગલાં ભરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો