એપશહેર

Rahul Gandhi Disqualified:રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ, સુરતની કોર્ટે ગુરુવારે જ સંભળાવી હતી બે વર્ષની સજા

Rahul Gandhi News: મોદી સરનેમ પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી રાહુલ ગાંધીને ભારે પડી ગઈ છે. ગઈ કાલે એટલે કે ગુરુવારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મુદ્દે બે વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણયના ચોવીસ કલાકની અંદર જ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. તો આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે એક બેઠક પણ બોલાવી છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દે આ બેઠક મળશે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 24 Mar 2023, 3:42 pm

હાઈલાઈટ્સ:

  • સુરત કોર્ટના નિર્ણયના 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ
  • સુરત કોર્ટે ગુરુવારે જ રાહુલ ગાંધીને ફટકારી હતી બે વર્ષની સજા
  • મોદી સરનેમ પર ટિપ્પણી કરવી રાહુલ ગાંધીને ભારે પડી ગઈ હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat rahul gandhi membership of parliament was revoked
સુરત કોર્ટના નિર્ણયના 24 જ કલાકમાં રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય રદ્દ કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટના નિર્ણયના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જે બાદ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હતા. કોર્ટે રાહુલ ગાંધાીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેઓને જામીન પણ મળ્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદનુ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ પક્ષમાં અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોદી સરનેમ પર ટિપ્પણી બાદ વિવાદ થયો હતો
મોદી સરનેમ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનુ સંસદ સભ્યનું પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના લોકસભાના સાંસદ હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે એનાથી વધારે સજા બાદ સાંસદો કે ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઈ જાય છે. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ થયા હબા કહ્યું કે, તેમના નેતાને સાચુ બોલવાની સજા આપવામાં આવી છે. તો રાહુલ ગાંધી પર લોકસભા સચિવાલયના નિર્ણયને ભાજપે દેશહિતમાં ગણાવ્યો હતો.
Raghav Chadha:પરિણીતી ચોપરા વિશે સવાલ પૂછાતાં જ શરમાઈ ગયા AAP નેતા રાઘવ ચઢ્ઢા , લગ્ન અંગે શું બોલ્યા?
23 માર્ચ, 2023થી સંસદની સદસ્યતા રદ્દ
લોકસભા સચિવાયલે માનહાનિ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ પણ જારી કરી છે. લોકસભા સચિવાયલે નોટિફિકેશનમાં કહ્યું છે કે, સુરતના ચીફ જ્યુડિશ્યલી મેજીસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી છે. આવામાં કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા 23 માર્ચ 2023થી સમાપ્ત કરવાાં આવે છે. નોટિફિકેશનમાં બંધારણના આર્ટિકલ 102 (1) (e)ના સેક્શન 8ના પીપલ ઓફ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1951 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં
લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામથી જારી કરવામાં આવેલા આ નોટિફિકેશનની કોપી રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. આ સિવાય રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય ચૂંટણી અધિકારી તિરુવનંતપુરમ, કેરળ, એનડીએમસીના સચિવ સિવાય લોકસભા સચિવાયલની તમામ બ્રાંચને મોકલવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, અમે આ લડાઈને કાયદાકીય અને રાજકીય તરીકે લડીશું. અમે ચૂપ બેસવાના નથી. અદાણી મામલે જેસીપીની જગ્યાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ભારતીય લોકતંત્ર ઓમ શાંતિ!
મીઠું બનશે 7 વર્ષમાં 70 લાખ લોકોના મોતનું કારણ, ભારતીયો પર સૌથી વધુ ખતરો: WHO
આ હતો વિવાદ

મહત્વનું છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને એ પછી નિર્ણયના ચોવીસ કલાકમાં સંસદની સદસ્યતા રદ્દ થતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંજે એક બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દે આ બેઠક બોલાવવામાં આવી છે. રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 13 એપ્રિલ, 2019ના રોજ રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલે માનહાનિનો કેસ થયો હતો. આખરે 23 માર્ચ, ગુરુવારના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી.
Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story