એપશહેર

પોતાના લગ્નનો સામાન લઈ આવતી હતી ડૉક્ટર યુવતી, ખાડાએ લીધો જીવ

Gaurang Joshi | I am Gujarat 11 Oct 2019, 4:38 pm
સંધ્યા નાયર, મુંબઈઃ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક જ કોઈના દુઃખદ અવસાનની ખબર આવે તો પરિવારની હાલત કેવી થાય તે વિચારીને જ કમકમા છૂટી જાય છે. આવી રીતે જ મુંબઈમાં પાલઘરમાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી તે ઘરમાંથી જ નનામી ઉઠી હતી. પોતાના લગ્નનો સામાન લઈને આવતી ડૉક્ટર યુવતી નેહા શેખનું રસ્તાના ખાડાના કારણે મોત થયું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
નવેમ્બરમાં હતાં ડોક્ટર નેહાના લગ્ન આવતા મહિને હતા લગ્ન નવેમ્બર મહિનામાં ડોક્ટર નેહાના લગ્ન હતાં અને તે પોતાના મામા સાથે લગ્નનો સામાન લઈને પરત ફરતી હતી. ભિવંડી-વારા રોડ સ્થિત દુગાડફાટા પાસે રસ્તાના ખાડાના કારણે તેની એક્ટિવાનું સંતુલન બગડી ગયું અને બન્ને પડી ગયા હતાં. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પાછળથી આવી રહેલા એક અજાણ્યા વાહને નેહાને કચડી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાથી લોકોમાં ફાટી નીકળ્યો આક્રોશ મળેલી જાણકારી અનુસાર, કુડુસની રહેવાસી ડૉ.નેહાના લગ્ન 7 નવેમ્બરે થવાના હતાં. નેહા મામા સાથે લગ્નનો સામાન ખરીદવા માટે થાણે ગઈ હતી. બુધવારે રાતે આશરે 11 કલાકે જ્યારે બન્ને પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મામાનો તો માંડ બચાવ થયો હતો પરંતુ કમનસીબ નેહા મોતને ભેટી હતી. આ દુર્ઘટના પછી લોકોએ શ્રમજીવી સંગઠનના પ્રમુખ પ્રમોદ પવારના નેતૃત્વ હેઠળ ટોલનાકા પર વસૂલી બંધ કરાવી હતી. ગુરુવારે દુર્ઘટના સ્થળ પાસે લોકોએ આશરે 3 કલાક ટોલ વસૂલ કરનાર સુપ્રીમ કંપની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું.
ટોલ વસૂલી છતાં ઠેર ઠેર ખાડા નોંધનીય છે કે ભિવંડી-વાડા-મનોર રોડની ટોલ વસૂલીનો કોન્ટ્રાક્ટ સુપ્રીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. ટોલ વસૂલી પછી પણ અહીં 10 વર્ષથી રસ્તા પર ખાડા પડ્યાં છે. જેના કારણે અહીં દુર્ઘટનાઓ થતી જ રહે છે. આંદોલનનું નેતૃત્વ કરનાર મોનિકા પાવલેએ કહ્યું કે જ્યાં સુધી દોષીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

Read Next Story