એપશહેર

બીમારીને કારણે બાળકને વેચવાનો નિર્ણય કરનારી માતાનું નિધન

Hitesh Mori | I am Gujarat 21 Aug 2019, 8:15 pm
નાલંદાઃ બિહારના નાલંદામાં જીવન સામેની લડતનો કરૂણ અંત આવ્યો, જેણે પોતાના બાળકોને વેચવાનો નિર્ણય કર્યો તે માતાને જીવનદાન મળી શક્યું નહીં. ટીબીની ગંભીર બીમારીને કારણે બાળકોને વેચવાનો નિર્ણય કરનારી મહિલાનું મોત થયું છે. નાલંદાના ડીએમ યોગન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું કે, ‘નાલંદામાં ટ્યૂબરકુલોસિસની બીમારી સામે લડી રહેલી મહિલાનું બુધવારે નિધન થઈ ગયું. ગત સપ્તાહે મહિલાએ બીમારી અને આર્થિક તંગીને કારણે પોતાના બાળકોને વેચવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાને યોગ્ય મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં.’
ઉલ્લેખનીય છે કે નાલંદાની એક મહિલા ટીબીની બીમારીથી પીડિત હતી. ગરીબી અને બીમારી સામે લડી રહેલી મહિલાએ હ્રદય પર પથ્થર રાખીને પોતાના બે માસૂમ બાળકોને વેચવાનો નિર્ણય કર્યો હતો. જોકે સમય રહેતા પરિવારને મદદ મળી. મહિલાના પતિએ પણ તેને છોડી જતો રહ્યો છે. તે પણ ખૂબ ગરીબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો