એપશહેર

UPમાં પત્રકારો માટે આવાસ યોજના લાવવાની તૈયારી, જાણો શું છે CM યોગીનું ગોરખપુર મોડલ

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે UPના 53 પત્રકારોના પરિવારોને દસ લાખ રૂપિયાની સહાયની રકમ ઉપલબ્ધ કરાવી છે. આ તમામ પત્રકારોનું મૃત્યુ કોરોના સમયગાળા દરમિયાન થયું હતું. જે અંગે થઇ યોગીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં UPના તમામ પત્રકારો માટે આવાસ યોજના લાવશે. આ ઉપરાંત નિરાધાર મહિલાઓને નિયમોનુસાર પેન્શન, મુખ્યપ્રધાન બાલ સેવા યોજના અને પીએમ કેર યોજના હેઠળ નિરાધાર બાળકોને અન્ય સહાય પણ આપવામાં આવશે.

Edited byParth Shah | I am Gujarat 26 Dec 2022, 5:27 pm
લખનૌ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા 53 પત્રકારોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે. ત્યારે આ રવિવારે લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં યોગીએ કહ્યું કે પત્રકારોએ જે રીતે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે અને કોરોના સમયગાળાના પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ સકારાત્મક ભાવના સાથે સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી તે ખૂબજ પ્રશંસનીય કામગીરી છે. આ અવસર પર તેમણે વધુમાં કહ્યું કે તેમની સરકાર તમામ પત્રકારોને રહેઠાણની સુવિધા પણ આપવા માંગે છે. જેની પર હાલ એક ચર્ચા અને મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
I am Gujarat yogi adityanath
UPમાં પત્રકારો માટે રહેણાંક યોજના લાવવાની તૈયારી


મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ગોરખપુરમાં એક મોડેલ પર કામ ચાલી રહ્યું છે. જો તે સફળ થશે તો રાજ્યના તમામ શહેરો અને મહાનગરોના પત્રકારો માટે ખૂબ જ ટૂંક સમયમાં આવાસ યોજના લાવવામાં આવશે. તેમણે આ સંદર્ભે નીતિ અને પાત્રતા વગેરે નક્કી કરવા માટે સંપાદકોની સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પત્રકારોના પરિવારજનોને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પત્રકારો અને સરકાર બંનેના માર્ગ અલગ-અલગ હોવા છતાં ધ્યેય એક જ છે. બંને રાષ્ટ્રીય કલ્યાણ અને લોક કલ્યાણના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. લઘુત્તમ સંસાધનો અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ તેમનું કાર્ય લક્ષ્યની સાપેક્ષે સતત ચાલુ રહે છે. ત્યાર સરકાર તમામ પત્રકારોને રહેઠાણની સુવિધા આપવા માંગે છે.

53 પત્રકારોના પરિવારોને 5.5 કરોડની સહાય રકમ
આ પ્રસંગે મુખ્યપ્રધાને પત્રકારોના પરિવારોને આશરે રૂપિયા 5.5 કરોડની સહાયનું વિતરણ કર્યું હતું. અગાઉ ગયા વર્ષે જુલાઈમાં પણ 50 પત્રકારોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે કોરોનાની વચ્ચે રાજ્યમાં 103 પત્રકારોનું કોરોના સંક્રમણને કારણે અકાળે મૃત્યુ થયું છે. આ ઉપરાંત નિરાધાર મહિલાઓને નિયમોનુસાર પેન્શન, મુખ્યપ્રધાન બાલ સેવા યોજના અને પીએમ કેર યોજના હેઠળ નિરાધાર બાળકોને અન્ય સહાય પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે માહિતી વિભાગ સુનિશ્ચિત કરશે કે પત્રકારોના પરિવારોને આ યોજનાઓનો લાભ મળે છે કે નહીં.

Read Next Story