એપશહેર

હવે યુપીમાં ધર્માંતરણ કરવું અઘરું બનશે, યોગી સરકાર લાવી રહી છે કાયદો

લવ જેહાદના વધતા કેસોનો ધ્યાનમાં રાખી સરકારે ધર્માંતરણ અંગે કડક કાયદો બનાવવાની તૈયારી શરુ કરી

Authored bySubhash Mishra | TNN 18 Sep 2020, 1:53 pm
લખનઉ: લવ જિહાદના નામ પર ધર્માંતરણના વધતા કિસ્સાનું કારણ આપી ઉત્તર પ્રદેશની યોગી સરકાર હવે ધર્માંતરણ વિરુદ્ધ ટૂંક જ સમયમાં વટહુકમ બહાર પાડે તેવી શક્યતા છે. રાજ્યના કાયદા વિભાગના એક એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ વટહુકમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને તેના માટે અન્ય રાજ્યોના આ અંગેના કાયદાનો અભ્યાસ પણ કરાઈ રહ્યો છે.
I am Gujarat Yogi adityanath
હાલમાં માત્ર કાનપુરમાં જ ધર્માંતરણના 11 કેસોની તપાસ ચાલી રહી છે


હાલ અરુણાચલ, ઓડિશા, એમપી, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, ઝારખંડ અને ઉત્તરાખંડ એમ કુલ છ રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો અસ્તિત્વમાં છે. ઓડિશાએ 1967માં સૌ પ્રથમ આ કાયદો બનાવ્યો હતો, અને ત્યારબાદ એમપીમાં 1968માં તે અમલમાં આવ્યો હતો. તેવામાં હવે આ પ્રકારનો કાયદો ધરાવનારું યુપી નવમું રાજ્ય બની શકે છે.

કાયદા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતા જતા લવ જિહાદના કેસોને ધ્યાનમાં રાખી આ કાયદો બનાવાઈ રહ્યો છે. માત્ર કાનપુર જિલ્લામાં જ ધર્માંતરણના 11 કેસોની તપાસ ચાલી રહી છે. સંઘના વડા મોહન ભાગવત લખનઉના બે દિવસના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે પણ ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સૂત્રોનું માનીએ તો, અન્ય રાજ્યના ધર્માંતરણ પ્રતિબંધક કાયદા કોઈપણ વ્યક્તિને સીધી કે આડકતરી રીતે ધર્માંતરણ કરવા પર નિયંત્રણ મૂકે છે. આ કાયદામાં જેવી જોગવાઈ છે તે જ તરાહ પર યુપીમાં પણ કાયદો બનશે, જે ધર્માંતરણની પ્રક્રિયાને વધુ અઘરી બનાવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો