એપશહેર

કામેચ્છા વધારવાની દવાઓના ઓવરડોઝથી 25 વર્ષના આશાસ્પદ યુવકનું મોત

TNN 12 Dec 2020, 1:22 pm
ભોપાલઃ 25 વર્ષના એક યુવકનું કામેચ્છા વધારવાની દવાના ઓવરડોઝના કારણે ગુરુવારે મોત થઈ ગયું. માહિતી મુજબ, યુવકને હોસ્પિટલમાં એડમિટ કરાતા પહેલા તેણે કામેચ્છા વધારવની 10 જેટલી ગોળીઓ એકસાથે ખાઈ લીધી હતી, જે બાદ તેનું શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ સર્જાઈ હતી.
I am Gujarat medi 1


તપાસ અધિકારી એસ.આઈ દેવેન્દ્રના કહેવા મુજબ, પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે મૃતક બાબુ માણીએ તેની પાછળ કોઈ સુસાઈડ નોટ છોડીને ગયો નથી અને પોલીસ તેના આમ કરવા પાછળનું કારણ જણવાનો પ્રયાસ કરી રહી છે.

બાબુ અપરિણીત હતો અને પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. તેના નાના ભાઈ સોનુએ પોલીસને જણાવ્યું કે, બાબુએ 7મી ડિસેમ્બરે કામેચ્છા વધારતી દવાઓનું સેવન કર્યું હતું. દવા લીધાના તુરંત બાદથી જ તેનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું. તે બેચેની, ગડબડાટ, ઉબકા અને ઉલ્ટી તથા પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરવા લાગ્યો.

તેની તબિયત ખરાબ થતા બાબુએ ડોક્ટર પાસે જઈને કેટલીક દવાઓ પણ લીધી હતી. પોલીસના કહેવા મુજબ, તેને શ્વાસ લેવામાં વધારે તકલીફ થતા તેના પરિવારજનો તેને અન્ય પ્રાઈવેટ ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં 9મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે બીજા દિવસે મોડી રાત્રે 2 વાગ્યે તેનું નિધન થઈ ગયું. મૃતક બાબુની વિસેરા રિપોર્ટ ફોરેન્સિક ટેસ્ટ માટે સાચવી રખાઈ છે. પોલીસને આશા છે કે તેની ઓટોપ્સી રિપોર્ટ મૃત્યુનું સાચું કારણ જણાવશે.

બાબુની સારવાર કરનારી હોસ્પિટલના ડો. રાજેશ રાય કહે છે, બાબુની સાથે આવેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે કામેચ્છા વધારતી દવાઓનું સેવન કર્યું હતું. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું શ્વસનતંત્ર ફેઈલ થઈ ગયું હતું અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. ડો. રાય વધુમાં ઉમેરે છે કે, તેણે કઈ બ્રાન્ડની ગોળીઓનું સેવન કર્યું હતું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો