એપશહેર

ભારે વરસાદથી મુંબઈ બેહાલ, નવી મુંબઈમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઈ ગઈ

Mitesh Purohit | I am Gujarat 3 Aug 2019, 4:32 pm
મુંબઈઃ એકવાર ફરી દોડતી મુંબઈની ગતીને વરસાદે થંભાવી દીધી છે. શુક્રવાર રાતથી શરુ થયેલો વરસાદ શનિવારે પણ સતત વરસી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી રવિવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ શહેરમાં બે અલગ અલગ કિસ્સામાં 2 લોકોના મોત થયા છે, ત્રણ લાપતા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. આ ઉપરાંત નવી મુંબઈમાં ડ્રાઇવિંગ રેન્જ નજીક 4 યુવતીઓ ઝરણામાં તણાઈ ગઈ છે.સાયન-પનવેલ વિસ્તારમાં પાણી ભરાતા લોકોની થઈ કફોડી હાલતદરિયામાં હાઈ ટાઇડ અને જળસ્તર વધવાના કારણે લોકલ ટ્રેનની સબઅર્બન સર્વિસિઝ કુર્લા-સાયન ફાસ્ટ લાઇન અને કુર્લા ચૂનાભટ્ટી હાર્બલ લાઇન વચ્ચે જ રોકી દેવામાં આવી છે. નવી મુંબઈના ખારઘર નજીક પાંડવકડાના ડુંગરોમાં ડ્રાઇવિંગ રેન્જ નજીક શનિવારે મિત્રો સાથે પિકનિક મનાવવા પહોંચેલી ચાર છોકરીઓ ઝરણમાં તણાઈ ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે એક છોકરીનો મૃતદેહ શોધી કાઢ્યો છે જ્યારે અન્ય ત્રણ યુવતીની શોધખોળ શરુ છે. મૃતક યુવતીની ઓળખ નેહા જૈન તરીકે કરવામાં આવી છે.જુઓ કાંદિવલી ઈસ્ટમાં આવેલ ઠાકુર વિલેજ પાસે રસ્તા પર કેટલા પાણી ભરાયા છે.કરંટ લાગવાથી મૃત્યુતો બીજી તરફ ભારે વરસાદ વચ્ચે કરંટ લાગવાથી થાણેમાં એક યુવકનું મોત થયું છે. થાણેના ધર્મવીર નગરમાં 18 વર્ષના સંતોષ ગોળેને ફ્રીજનું પ્લગ કાઢતા વખતે કરંટ લાગી ગયો. થાણે મહાનગરપાલિકાના આપત્તિ પ્રબંધન સેલના અધ્યક્ષ સંતોષ કદમે જાણકારી આપી કે સંતોષને તાત્કાલીક થાણે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યારં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો. તો પાલઘર જિલ્લાના કસા તાલુકાના વરોટી ગામે સૂર્યા નદીના ઘોડાપુરમાં 4 પશુઓ તણાઈ ગયા.મલાડ સબવેમાં પાણી ભરાતા પોલીસ દ્વારા બેરિકેડ મુકીને રસ્તો બંધ કરવામાં આવ્યો.છત પડવાથી એક ઘાયલઅન્ય એક ઘટનામાં મુંબ્રાની એક બેકરીની છત તૂટી પડતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ભારે વરસાદની સ્થિતિ જોતા થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી, કોલ્હાપુર, નંદુરબાર, નાસિક, ગઢચિરોલી જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ બાજુ દરિયમાં હાઈ ટાઈડની સ્થિતિ હોવાથી તંત્ર સાબદું થઈ ગયું છે અને વરસાદી પાણી તેમજ દરિયાના પાણી કોઈ મોટી હોનારત ન સર્જે તે માટે તમામ પૂર્વ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં દરિયાકિનારા પર આવેલા સ્લમ એરિયામાં તોફાની બનેલા દરિયાના મોજા ફરી વળ્યા હતા. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ઘણીવાર તોફાની દરિયો ઘરોમાં નુક્સાન પણ કરે છે. હાલ તો સ્થિતિ એ છે કે દરિયાનું પાણી ફરી વળતા લોકો ઘરની બહાર નીકળી શકવાની સ્થિતિમાં પણ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો