એપશહેર

નારિયળની મલાઇ વડે કરો ફેસ મસાજ, ખોવાયેલો ગ્લો ચહેરા પર એક અઠવાડિયામાં પાછો આવશે

Coconut Malai For Skin: ગ્લોઇંગ અને ડાઘ વગરની સ્કિન માટે નેચરલ વસ્તુઓથી સારું કંઇ જ નથી. ભારતીય ઘરોમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ ખાવાની સાથે સાથે ચહેરા પર પણ લગાવા માટે પણ કરી શકાય છે. આ નેચરલ સામગ્રીમાં નરિયળની મલાઇનો પણ સમાવેશ થાય છે.

I am Gujarat 13 May 2022, 9:29 am
વાળ અને ત્વચા બન્ને માટે નારિયેળ પાણીનું બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં લોકો તેનું ખૂબ સેવન કરે છે. આનું પાણી પીવાની સાથે લોકો તેનો ઉપયોગ વાળ અને સ્કિન બન્ને પર કરે છે. ડાઘા વગરની સ્કિન અને સિલ્કી વાળ માટે તે ખૂબ અસરકારક છે. જોકે ફક્ત નારિયેળ પાણી જ નહીં પરંતુ તેની મલાઇ પણ સુંદરતા વધારવાનું કામ કરે છે.
I am Gujarat how to do face massage with coconut cream to get the lost glow
નારિયળની મલાઇ વડે કરો ફેસ મસાજ, ખોવાયેલો ગ્લો ચહેરા પર એક અઠવાડિયામાં પાછો આવશે


મોટાભાગે, જ્યારે આપણે નારિયેળ ખરીદીએ છીએ તો દુકાનદાર પાસે પાણીની સાથે સાથે મલાઇવાળું નારિયળ જોઇએ છે તેમ કહીએ છીએ. ત્યારે તે એવું નારિયેળ આપે છે જેમાં પાણી અને મલાઇ બન્ને સાથે હોય. ફાયબરથી ભરપૂર આ ઇન્ગ્રિડિઅન્ટની મદદથી પેટ સાથે જોડાયેલી બધી ગડબડ દૂર થઇ જાય છે. તે સિવાય તે સ્કિન માટે ઘણું ઉપયોગી છે. ડાઘા વગરની સ્કિન અને ગ્લોઇંગ સ્કિન માટે આનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે.

ખાસ વાત એ છે કે નારિયેળની મલાઇ દરેક પ્રકારની સ્કિન ટાઇપના લોકો માટે બેસ્ટ ઓપ્શન હોય શકે છે. જો તમે ઉનાળાામાં હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હોવ તો તમારે તમારા સ્કિન કરે રૃટીનમાં આનો સમાવેશ કરવો જોઇએ. (ફોટો ક્રેડિટ : pexels)

​નારિયેળની મલાઇના ફાયદા

નારિયેળનું પાણી અને મલાઇ સ્કિનને અંદરથી જ નહીં પરંતુ બહારથી પણ હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આમાં વિટામિન એ, સી, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, સોડિયમ અને મેગ્નિશિયમ જેવા તત્વો હોય છે. જો તમે આનો ઉપયોગ થોડા અઠવાડિયા પણ સ્કિન કેર માટે કરશો તો તેમને તમારી સ્કિનમાં ફરક દેખાશે. (ફોટો ક્રેડિટ : TOI)

​નારિયેળની મલાઇથી કેવી રીતે કરશો ફેસ મસાજ

સવાર- સવારમાં અથવા રાતે સુતા પહેલા નારિયેળની મલાઇથી મસાજ કરો. આ માટે તમે તેની મલાઇને મિક્સરમાં નાખીને પીસી લો અને તે ક્રીમ વડે તમારા ચહેરા પર મસાજ કરો. મસાજ કર્યાના 10 મિનિટ સુધી તેને રહેવા જો અને ઉના પાણી વડે તમારો ચહેરો ધોઇ લો. જો તમે આ કામ સવારે કરતા હોવ તો મલાઇને પીસીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો અને પછી ચહેરા પર લગાવો. તેનાથી પફનેસની સમસ્યા દૂર થશે અને ચહેરો પણ એકદમ ફ્રેશ દેખાશે.

​ઓઇલી સ્કિનથી મળશે છુટકારો

નારિયેળની મલાઇના ઉપયોગથી તમને ઓઇલી સ્કિનથી પણ છુટકારો મળી શકે છે. ખાસ વાત એ છે કે આનાથી તમારી ડેડ સ્કિન પણ નીકળી જશે. આ માટે તમે એક બાઉલમાં એક ચમચી મલાઇ લો અને તેમાં અડધી ચમચી મુલ્તાની માટી અને ચણાનો લોક મિક્સ કરી લો. આ પેસ્ટને પાતળું રાખવા માટે તમે આ પેસ્ટમાં ગુલાબ જળ ઉમેરી શકો છો. હવે આ પેસ્ટ ચહેરા પર લગાવો અને 20 મિનિટ રાખી મુકો. 20 મિનિટ પછી એક સોફ્ટ ટાવલ લો અને તેને પાણીમાં પાલળી લો. હવે તે ટાવલની મદદથી ફેસ રબ કરતાં કરતાં પેસ્ટને કાઢો. આમ તમે એક બે વખત આ પેકનો ઉપયોગ કરશો તો તમને તમારી સ્કિન ક્લિયર થતી દેખાશે. (ફોટો ક્રેડિટ : pexels)

​સન ટેનની સમસ્યા દૂર થશે

નારિયેળની મલાઇને તમે આઇસ ક્યૂબની જેમ તૈયાર કરી શકો છો. સૌથી પહેલા મલાઇને સારી રીતી પીસી લો અને તેમાં કેરેટ સીડ એસેન્શિયલ ઓઇલનું એક ટીપું મિક્સ કરી દો. જો મિશ્રણ વધારે માત્રામાં હોય તો આ એસેન્શિયલ ઓઇલના બે ટીપાં લઇ શકો છો. હવે આ મિશ્રણને આઇસ ક્યૂબની ટ્રેમાં રાખીને ફ્રિઝમાં રાખી દો. આ તૈયાર થઇ જાય એટલે તમે નારિયેળના ક્યૂબ વડે ચહેરા પર 2-3 મિનિટ મસાજ કરો. 5-6 મિનિટ એમ જ રહેવા દો અને 10 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.

​બોડી સ્ક્રબની જેમ આનો યૂઝ કરો

નારીયેળની મલાઇ અને ઓટ્સને મિક્સ કરીને તમે બોડી સ્ક્રબ તૈયાર કરી શકો છો. નહાતા પહેલા આને આખા બોડી પર સ્ક્રબ કરો. સૌથી પહેલા આ બન્ને ઇન્ગ્રિડિઅન્ટ્સને મિક્સ કરીને આ મિશ્રણને તૈયાર કરો અને ત્યાર બાદ તેના વડે બોડી પર મસાજ કરો. 5 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ નાહી લો. આ સ્ક્રબના ઉપયોગથી તમારા હાથ અને પગની ટેનિંગ દૂર થઇ જશે. જો તમે ઇચ્છો તો આનો ઉપયોગ રોજ કરી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Read Next Story