એપશહેર

Home Remedy: નવરાત્રીમાં ઓપન પોર્સ નહીં બગાડે તમારી સુંદરતા, એક્સપર્ટ પાસેથી જાણો 3 સરળ ઘરેલુ ઉપાય

Open Pores Remedies: સામાન્ય રીતે ઓઇલી સ્કિનમાં ઓપન પોર્સની સમસ્યા વધુ જોવા મળે છે. જેને કેટલાંક ઘરેલુ ઉપચારથી ઠીક કરી શકાય છે. મુલતાની માટીનો ઓપન પોર્સના ઇલાજ અને ચહેરા પર કરચલીઓ દૂર કરવા ઉપયોગ કરી શકાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 18 Oct 2023, 10:29 am
Easy Home Remedies for Open Pores: ચહેરા પર ઓપન પોર્સ (Open Pores Tips in Gujarati)ની સમસ્યા ઘણીવાર ઓઇલી સ્કિન ધરાવતા લોકોને વધારે રહે છે. આ પોર્સ ઉંમરની સાથે વધારે સ્પષ્ટ દેખાતા જાય છે. ખાસ કરીને નાક, કપાળ અને આંખોની નીચેના ગાલ પર તે દેખાતા હોય છે.
I am Gujarat navratri 2023 aesthetician shares easy home remedies to get ride of open pores
Home Remedy: નવરાત્રીમાં ઓપન પોર્સ નહીં બગાડે તમારી સુંદરતા, એક્સપર્ટ પાસેથી જાણો 3 સરળ ઘરેલુ ઉપાય


નવરાત્રીમાં તમે ઓપન પોર્સને મેકઅપથી ઢાંકવાની કોશિશ કરશો તો પણ તે વધારે ખરાબ દેખાશે. તેને બંધ કરવા માટે ચહેરાની યોગ્ય દેખભાળ જરૂરી છે. ઉંમરની સાથે સાથે જ્યારે કોલેજન અને ઇલાસ્ટિન કમજોર થઇ જાય છે, ત્યારે ઓપન પોર્સની સમસ્યા વધી જાય છે.

ઓપન પોર્સની બીજી મુશ્કેલી એ છે કે, તેમાં ધૂળ-પ્રદૂષણના કારણે ગંદકી અને બેક્ટેરિયા જમા થઇ જાય છે, જેનાથી પોર્સ બ્લોક થઇ જાય છે અને બાદમાં ખીલ, એક્નેની સમસ્યા પણ ઉભી થાય છે. આ માટે ત્વચા નિષ્ણાત ક્રાતિકા મોહન (Dr Kratika Mohan, Aesthetician) અવારનવાર હોમ રેમેડીઝ શૅર કરતા હોય છે. ચહેરા પર ઓપન પોર્સને દૂર કરવા માટે જાણો કેટલાંક ઘરેલુ ઉપચાર.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​મુલતાની માટી

મુલતાની માટે એક સામાન્ય સામગ્રી છે જે આરામથી માર્કેટમાં મળી જાય છે. તે ઓપન પોર્સ પર જાદૂઇ રીતે અસર કરે છે અને તેમાંથી ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલ આરામથી દૂર કરી શકે છે. આ સિવાય તે સ્કિન એક્સફૉલિએટ કરીને પોર્સ ટાઇટ બનાવે છે અને ચહેરા પર નિખાર લાવે છે. આ ફેસ પેકથી સ્કિન પર આછા ડાઘ અને ફાઇન લાઇન્સથી પણ છૂટકારો મળે છે.

ઓપન પોર્સ માટે ઘરેલુ ઉપચાર

View this post on Instagram A post shared by Kratika Mohan 🇮🇳 (@dr_kratika_)

​દહીં

દહીંમાં લેક્ટિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું છે, જે ત્વચાને એક્સફૉલિએટ કરવા અને ખીલનો ઇલાજ કરવામાં મદદ કરે છે. આ સિવાય દહીંમાં અનેક એન્ટીબેક્ટેરિયલ ગુણો પણ મોજૂદ રહેલા છે, જે પોર્સને બંધ કરી ખીલની સમસ્યા પેદા કરતા બેક્ટેરિયાને પણ દૂર કરે છે. દહીંને ફેસ પેક તરીકે અપ્લાય કરવાથી સ્કિન મોઇશ્ચરાઇઝ થાય છે અને નિખાર લાવે છે. આ માટે હંમેશા લૉ ફૅટ દહીંનો ઉપયોગ કરો.

​મધ

ઓઇલી સ્કિન માટે મધ અકસીર છે, તમે ઇચ્છો તો મુલતાની માટી, મધ અને રોઝ વોટર મિક્સ કરીને એક ફેસ પેક તૈયાર કરી શકે છે. આ પેક ખીલ અને ઓપન પોર્સવાળી સ્કિન પર યોગ્ય રીતે કામ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો, હાઇડ્રોજન પેરોઓક્સાઇડ રહેલું છે, જે સ્કિન પર જમા થતાં બેક્ટેરિયાને દૂર કરે છે.

​આ બાબતોનું રાખો ધ્યાન

  • અગાઉ જણાવેલા કોઇ પણ માસ્કનો ઉપયોગ સપ્તાહમાં એકવાર અથવા રાત્રે કરો
  • ફેસ માસ્કને ઠંડા પાણીથી જ દૂર કરો
  • માસ્ક દૂર કર્યા બાદ મોઇશ્ચરાઇઝની ઘટ્ટ પરત લગાવો
  • બીજાં દિવસે સવારે સનસ્ક્રિન લગાવો

​ફેસ આઇસિંગ કરો ટ્રાય

જો તમારાં ઓપન પોર્સ મોટાં છે તો મેકઅપ કરતાં પહેલા આઇસિંગ ટ્રાય કરી શકો છો, તેમાં રોમ છીદ્ર ઘટશે અને ચહેરા તેમજ આંખોની નીચે સોજા પણ ઓછા દેખાશે. આઇસિંગ એક ટેમ્પરરી સોલ્યૂશન છે, તે સ્થાયી પરિણામ નહીં આપે. તેથી આઇસિંગ અગાઉ આ બાબતોનું ધ્યાન રાખો-

  • કોઇ પણ રીતે બરફને સીધા ચહેરા પર અપ્લાય ના કરો, બરફના ટૂકડાંને લગાવતા અગાઉ સાફ કપડાંમાં લપેટી લો
  • ક્યારેય 15થી 20 સેકન્ડથી વધુ આઇસિંગ ના કરો
  • દરેક વ્યક્તિના ચહેરા પર પોર્સ હોય છે અને આ વાત સામાન્ય છે, પરંતુ ઓઇલી સ્કિનમાં તે વધારે જોવા મળે છે
  • પોર્સને ક્યારેય કાયમી દૂર નથી કરી શકતા પરંતુ તેને ઘટાડી ચોક્કસથી શકાય છે
  • ઘરેલુ ઉપચાર પોર્સને છૂપાવવાનું જ કામ કરે છે, તે કાયમી ઇલાજ નથી

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story