એપશહેર

ગુજરાતમાં 39 ટકા લોકોનું BP ખોટું મપાયું હોઈ શકે છે, આ છે કારણ

TNN 28 Aug 2019, 10:10 am
અમદાવાદઃ શું ડોક્ટરને મળવાનું થાય એટલે તમારુ ટેન્શન વધી જાય છે અને તેને કારણે તમારુ બ્લડ પ્રેશર હાઈ આવે છે? જો આવુ થતુ હોય તો તમે એકલા નથી. આખા દેશમાં થયેલા અભ્યાસ મુજબ ગુજરાતમાં 20 ટકા લોકોએ તેમને વ્હાઈટ-કોટ હાઈપરટેન્શન હોવાનું સ્વીકાર્યુ હતુ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ડોક્ટરોના એક જૂથે ઈન્ડિયા હાર્ટ સ્ટડીના રિઝલ્ટ શેર કર્યા હતા. તેમાં 15 રાજ્યોના 18,918 લોકોને આવરી લેવાયા હતા. 1233 ડોક્ટરોએ તેમના પર નજર રાખી હતી. ગુજરાતમાંથી 1922 લોકોએ તેમાં ભાગ લીધો હતો. મોટા ભાગન લોકો શહેરી વિસ્તારમાંથી હતા. જે ફાર્મા કંપનીએ આ અભ્યાસ હાથ ધર્યો તેના મેડિકલ પ્રેસિડન્ટ ડો. વિરાજ સુવર્ણાએ જણાવ્યું કે ગુજરાતના 20 ટકા લોકોને વ્હાઈટ-કોટ હાઈપરટેન્શન છે. જ્યારે 19 ટકા લોકોએ હાઈપરટેન્શનને છૂપાવી દીધુ હતુ. જેમ કે, મેડિકલ સેટિંગ્સમાં તેમનુ બ્લડપ્રેશર નોર્મલ રહેતુ હોય પરંતુ ઘરે કે કામ કરતી વખતે તેમાં વધારો ઘટાડો થતો હોય. બંને પ્રકારની પરિસ્થિતિ ગંભીર છે. જો બ્લડ પ્રેશર યોગ્ય રીતે ન મપાય તો દર્દીને જરૂર ન હોય તો પણ તેને દવા અપાઈ જાય છે. રાજ્યના આંકડા દેશના આંકડાને લગોલગ જ છે. આખા દેશમાં 24 ટકા લોકોને વ્હાઈટ કોટ હાઈપરટેન્શન હોવાનું જાણવા મળ્યુ છે. 18 લોકો તેમના હાઈપરટેન્શનને છૂપાવી દે છે. શહેરના કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાણીએ જણાવ્યું કે વિવિધ ઉંમરે વિવિધ કારણસર હાઈ બી.પી થઈ શકે છે. હાઈપર ટેન્શન એટલે ફક્ત સ્વસ્થ હૃદય જ નહિ. બ્લડ પ્રેશરમાં ચડાવ-ઉતારને કારણે શરીરના અન્ય અંગો પર પણ અસર પડે છે. અમે માનીએ છીએ કે કોઈ તારણ પર પહોંચતા પહેલા ડોક્ટરે એકથી વધુ વાર બ્લડ પ્રેશર ચેક કરી લેવુ જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો