એપશહેર

રસોઇ ઉપરાંત આવા છે લવિંગના અનોખા ઉપયોગ

Gaurang Joshi | I am Gujarat 27 Oct 2017, 7:50 pm
I am Gujarat cloves could change your luck
રસોઇ ઉપરાંત આવા છે લવિંગના અનોખા ઉપયોગ


સકારાત્મક ઉર્જાનો સંચાર

જ્યોતિષ અનુસાર લવિંગનો અનેક પ્રકારે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. નાના અને સામાન્ય લાગતા લવિંગનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે તો શરીરને સ્વસ્થ રાખે છે. આ સાથે જ તેના અનેક ઉપાય એવા છે. જેથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. સુખી થવા માટે લોકો અનેક પ્રકારના નુસખાઓ અજમાવે છે. જ્યોતિષમાં જણાવાયું છે કે લવિંગ પણ અનેક પ્રકારે ફાયદો કરે છે.

ધનની થશે પ્રાપ્તિ

જો મહેનત કર્યા પછી પણ કોઇ રીતે ધનની પ્રાપ્તિ નથી થઇ રહી તો એક લીંબુ ઉપર ચાર લવિંગ લગાવવાના અને ઓમ્ શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરવાથી અચૂક ફાયદો થશે. 21 વાર આ જાપ કરીને લીંબુ પાસે રાખી દો.

શાંત રહેશે મન

જો તમારૂ મન કોઇ કામમાં લાગતું નથી અને હંમેશા વ્યથિત રહે છે. તો એક કપૂર અને એક ફૂલ સાથે લવિંગ સળગાવીને બે-ત્રણ દિવસમાં એકવાર ખાઇ જવાનું. આવું કરવાથી મન શાંત રહેશે અને કામમાં પણ મન લાગશે.

દિવામાં રાખો લવિંગ

5-6 લવિંગ લઇને તેને ઘરના કોઇ ખૂણામાં રાખી દિવામાં સળગાવી દો. આ ઉપરાંત 5 ગ્રામ હિંગ અને 5 ગ્રામ કપૂર સાથે 5 ગ્રામ મરી રાખીને મિક્સ કરી દો. આ પછી તેની નાની ગોળીઓ બનાવો. જેટલી પણ ગોળીઓ બની હોય તેને બે ભાગમાં બરાબર વહેંચી દો. આ પછી તેને સવાર અને સાંજ ખાઓ. આ પ્રયોગ ત્રણ દિવસ કરશો તો ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જશે.

મુખ્ય દરવાજા પર લવિંગ

ઘરમાંથી જ્યારે કોઇ જરૂરી કામ માટે બહાર નીકળો ત્યારે મુખ્ય દરવાજા પર લવિંગ રાખો અને પછી તેની પર પગ રાખીને બહાર નીકળો. આ પછી ઘરમાં ફરી તે જ સમયે પ્રવેશ ના કરવો જોઇએ. આવું કરવાથી તેનો પ્રભાવ નિષ્ફળ જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો