એપશહેર

Covid effect: ઘાતક થયો કોરોના, સાજા થયેલા દર્દીને રાતે પરેશાન કરે છે આ ભયંકર લક્ષણ

Post covid-19 symptoms after Recovery: ચિંતાની વાત એ છે કે સ્વસ્થ થયા પછી પણ કોરોનાના લક્ષણો અઠવાડિયા કે મહિનાઓ સુધી દર્દીઓને પરેશાન કરી રહ્યા છે. મેડિકલ ભાષામાં તેને લોન્ગ કોવિડ (Long Covid) કહેવામાં આવે છે. જેમ જેમ કોરોના જીવલેણ બની રહ્યો છે, તેમ તેના લક્ષણો પણ ઘાતક બની રહ્યા છે.

I am Gujarat 21 May 2022, 9:24 am
કોરોના વાયરસ મહામારીનું (Coronavirus pandemic) જોખમ અત્યારે ઘટતું હોય તેવું લાગતું નથી. ઘણા દેશો કોરોનાના ચોથી લહેરનો (Covid 4th wave) સામનો કરી રહ્યા છે. ભારતમાં કેસ ઘટી રહ્યા છે, પરંતુ નોર્થ કોરિયા સહિત ઘણા દેશોમાં દરરોજ લાખો નવા કેસને કારણે ચિંતા વધી છે. કોરોનાની ત્રીજી લહેર પછી, કોરોના તેના ઘણા નવા ઘાતક વેરિઅન્ટ્સ સાથે પાછો ફર્યો છે. આ સાથે કોરોનાના લક્ષણો પણ ઝડપથી બદલાયા છે.
I am Gujarat common long covid symptoms seen at night
Covid effect: ઘાતક થયો કોરોના, સાજા થયેલા દર્દીને રાતે પરેશાન કરે છે આ ભયંકર લક્ષણ


ચિંતાની વાત એ છે કે સ્વસ્થ થયા પછી પણ કોરોનાના લક્ષણો અઠવાડિયા કે મહિનાઓ સુધી દર્દીઓને પરેશાન કરી રહ્યા છે. મેડિકલ ભાષામાં તેને લોન્ગ કોવિડ (Long Covid) કહેવામાં આવે છે. જેમ જેમ કોરોના જીવલેણ બની રહ્યો છે, તેમ તેના લક્ષણો પણ ઘાતક બની રહ્યા છે.

જો લોન્ગ કોવિડના લક્ષણોની (Long Covid symptoms) વાત કરીએ તો એમાં થાક લાગવો, મસલ્સમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. હવે વૈજ્ઞાનિકને લોન્ગ કોવિડ સાથે જોડાયેલું એક બીજું લક્ષણ મળ્યું છે જે દર્દીઓને રાત્રે પરેશાન કરે છે.

​લોન્ગ કોવિડ શું છે? (What is Long Covid?)

લોન્ગ કોવિડ એક એવી સ્થિતિ છે જેમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને અઠવાડિયા કે મહિનાઓ સુધી કેટલાક લક્ષણોનો અનુભવ થાય છે. એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે જેમને માઇલ્ડ ઇન્ફેક્શન થયું છે તેમને લગભગ બે અઠવાડિયામાં સારું થઇ જાય છે. ગંભીર સંક્રમણવાળા દર્દીઓને સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણથી છ અઠવાડિયાનો સમય લાગી જાય છે. લોન્ગ કોવિડના લક્ષણોમાં થાક લાગવો, મસલ્સમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

​રાતમાં જોવા મળતા લોન્ગ કોવિડના લક્ષણો

નિષ્ણાતોને મોટાભાગના લોન્ગ કોવિડના દર્દીઓમાં એક નવું લક્ષણ જોવા મળ્યું છે કે છે અનિંદ્રા કે ઊંઘને લગતી સમસ્યા. ક્લીવલેન્ડ ક્લિનિકમાં સ્લીપ મેડિસિન સ્પેશિયાલિસ્ટ સિંથિંયા પેના ઓર્બિયા કહે છે કે જે દર્દીઓને કોરોના થયો હતો તે લોકોમાં સ્લીપ ડિસઓર્ડર એક સામાન્ય લક્ષણ છે. ઊંઘવામાં મુશ્કેલી પડવી, સૂવાના સમયે જાગતા રહેવું અથવા તો જલ્દી જાગી જવું કે ફરી ઊંઘવામા તકલીફ થવી જેવા લક્ષણોનો અનુભવ દર્દીઓને થાય છે.

​વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે 'કોરોનાસોમનિયા'

કોરોના વાયરસથી પ્રભાવિત થયા બાદ જે દર્દીઓમાં અનિદ્રાના લક્ષણો દેખાય છે તેના સંદર્ભમાં 'કોરોનાસોમનિયા' શબ્દ બનાવવામાં આવ્યો છે. જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા લોકોએ મહામારીમાં આ સમસ્યાનો સામનો કર્યો છે.

​કોરાનાની અન્ય આડઅસરો

કોરોના વાયરસ મહામારીના કારણે અનિદ્રા ઉપરાંત દર્દીને સ્ટ્રેસ, ચિંતા, ડિપ્રેશન સહિત અન્ય ઘણી આડઅસરોનો પણ અનુભવ થઈ શકે છે. ક્લેવલેન્ડ ક્લિનિકનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોરોનાની 50થી વધુ આડઅસર ઓળખવામાં આવી છે અને સમય જતાં લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે.

​કોરોનાસોમનિયામાંથી કેવી રીતે છુટકારો મેળવશો

નિષ્ણાતો માને છે કે ઊંઘની સમસ્યાને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે તણાવ અને ચિંતા ઘટાડવા. આ માટે, તમારે વધુ યોગ્ય આહાર લેવો જોઈએ અને એક્ટિવ લાઇફસ્ટાઇલનું પાલન કરવું જોઈએ.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Read Next Story