એપશહેર

કોરોના વાયરસના કારણે યુવાપેઢીમાં પ્રસરી શકે છે ડાયાબિટીસનો રોગ

જેઓ પહેલા ડાયાબિટીસના દર્દી નહોતા તેઓ કોરોનાના સંક્રમણ પછી ડાયાબિટીસના રોગનો શિકાર બન્યા!

I am Gujarat 4 Sep 2020, 5:53 pm
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે ડાયાબિટીસનો રોગ થઈ શકે છે અને ઘણાં યુવાઓ ડાયાબિટીસનો શિકાર બની શકે છે. એક ઈન્ટરનેશનલ સ્ટડીમાં એવું સામે આવ્યું છે કે 19 વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયા બાદ તેના વજનમાં ઘટાડો થયો અને તપાસ કરતા તે ડાયાબિટીસનો રોગી હોવાનું જાણવા મળ્યું. ભારતીય ડોક્ટર્સ પણ આ વાતની સાથે સહમત છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ કોરોના વાયરસના કારણે આજની યુવા પેઢી ડાયાબિટીસનો શિકાર થઈ રહી છે. અને જે લોકો પહેલાથી ડાયાબિટીસના દર્દીઓ છે તેઓને વધુ ચિંતા સતાવી રહી છે.
I am Gujarat q5


આ અંગે વાત કરતા એક ડોક્ટરે જણાવ્યું કે કોરોના વાયરસ શરીરના તમામ અંગ ઉપર અસર કરે છે. અહીં સુધી કે સ્વાદુપિંડ પર પણ આ વાયરસની અસર થાય છે. આ કારણે કોરોના વાયરસ બાદ ડાયાબિટીસનો ખતરો રહેલો છે. આ બીમારીમાં એવું પણ જાણવા મળ્યું છે કે જેઓ પહેલા ડાયાબિટીસના દર્દી નહોતા તેઓ કોરોનાના સંક્રમણ પછી ડાયાબિટીસના રોગનો શિકાર બન્યા છે. જે લોકો ડાયાબિટીસના રોગી હતા અને કોરોનાનો શિકાર બન્યા તેઓની દવાનો ડોઝ બમણો કરવામાં આવ્યો છે.

ડોક્ટરે આ વિશે વાત કરતા વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસના કારણે 2.1% જેટલા સામાન્ય દર્દીઓના મોત થયા છે જ્યારે ડાયાબિટીસ રોગથી પીડિત હોય તેવા 7.39% દર્દીઓના કોરોનાના કારણે મોત થાય છે. એનો મતલબ એવો છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના વાયરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે. કોરોના વાયરસ બાદ બોડીના અન્ય ટેસ્ટ કરાવવા પણ જરૂરી છે. જેથી જો કોરોના વાયરસના સંક્રમણ પછી શરીરમાં ડાયાબિટીસ ઘૂસી ગયો હોય તો તેનો યોગ્ય ઈલાજ કરાવી શકાય. નહીં તો તેની અસર શરીરના અન્ય અંગો પર પડશે અને દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો