એપશહેર

કોરોના સામે જીતીને પણ હારી રહ્યા છે અડધા દર્દીઓ!

જે દર્દીઓ કોરોના સંક્રમણને હરાવીને સંપૂર્ણ રીતે સાજા થઈને ઘરે પાછા ફરી રહ્યા છે, તેમાંથી લગભગ અડધા લોકો માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ગત દિવસોમાં આવેલા રિપોર્ટસ મુજબ, કોરોનામાંથી સાજા થયા બાદ મોટાભાગના લોકોમાં હાર્ટની સમસ્યા, કિડનીની સમસ્યા અને માનસિક રોગની સમસ્યા વધુ જોવા મળી રહી છે. તો, તાજેતરના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે માનસિક રોગોમાંપણ કયો રોગ સૌથી વધુ થઈ રહ્યો છે...

I am Gujarat 4 Aug 2020, 6:34 pm
એવા દર્દીઓ જે કોરોના સંક્રમણને હરાવીને સાજા થઈ ગયા છે, તે હજુ પણ આ વાયરસ દ્વારા થયેલી મુશ્કેલીઓને સહન કરવા મજબૂર છે. તાજેતરમાં આવા પેશન્ટ્સ પર કરાયેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે, કોરોનામાંથી સાજા થયા બાદ દર્દીઓ અન્ય બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે, દર્દીઓને કોરોના સંક્રમણના કારણે એ બીમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે. તેમાં માનસિક બીમારીઓ પણ સામેલ છે.
I am Gujarat Corona mental health


અડધા લોકો આવી સ્થિતિનો કરી રહ્યા છે સામનો
એવું નથી કે કોરોનાથી સંક્રમિત થયા બાદ બધા પેશન્ટ્સને માનસિક સમસ્યા થઈ રહી છે, પરંતુ જે લોકો આ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે, તેમાંથી અડધાથી વધુ દર્દીઓમાં માનસિક બીમારીઓ જોવા મળી રહી છે. આ માનસિક બીમારીઓમાં એન્જાઈટી, ઈન્સોમેનિયા, ડિપ્રેશન અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. તેમાં પમ મોટા ભાગના દર્દીઓમાં ઊંઘ ન આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં આ લોકો દરેક સમયે બેચેની અનુભવે છે.

ઈટાલીથી આવ્યા અહેવાલ
ઉલ્લેખનીય છે કે, આ સ્ટડી ઈટાલીની એક હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. કોરોનાના પ્રાથમિક તબક્કામાં ઈટાલી એ દેશોમાં સામેલ હતું, જ્યાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો. હવે ઈટાલીના મિલાન શહેરમાં આવેલી સૈન રાફેલ હોસ્પિટલમાં થયેલા એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં જેટલા દર્દીઓ એડમિટ થયા હતા, તેમાંથી અડધા દર્દીઓને આ સંક્રમણમાંથી સાજા થયા બાદ માનસિક બીમારીઓએ ઘેરી લીધા.

કેટલા ટકા લોકોમાં કઈ બીમારી
જે લોકોમાં કોરોનાને હરાવ્યા બાદ જે માનસિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તેમાંથી સૌથી વધુ સમસ્યા ઊંઘ ન આવવાની છે. જો ટકાવારીની વાત કરીએ તો ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા લગભગ 40 ટકા છે. જ્યારે કે ડિપ્રેશન દર્દીઓની સંખ્યા 31 ટકા છે અને એન્જાઈટીથી ઝઝૂમી રહેલા લોકોની સંખ્યા 42 ટકા છે.

કોરોના વાયરસ માનસિક સ્થિતિ પર હાવિ થવો અને માનસિક રોગોની વધતી સ્થિતિને જોતા હેલ્થ એક્સપર્ટસ લોકોને દરેક શક્ય પ્રયાસ કરવા અપીલ કરી રહ્યા છે, જે તેમને કોરોનાથી બચાવે. એટલે કે, હાઈજિનનું ધ્યાન રાખવું, ખાવા-પીવામાં સતર્ક રહેવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, માસ્ક અને હેન્ડસેનિટાઈઝરનો ઉપયોગ કરવો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો