એપશહેર

કોરોનાને હરાવીને સાજા દર્દીમાં જોવા મળી રહ્યા છે આ 2 લક્ષણ: સ્ટડી

અલગ-અલગ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મુજબ કોરોનાની જુદી-જુદી અસર થઈ હોવાનું જાણવા મળે છે.

I am Gujarat 24 Jan 2021, 6:15 pm
કોરોના વાયરસની આ મહામારી હજુ ખતમ થઈ નથી પણ ભારતમાં હવે કોરોનાના કેસોમાં ધીરે-ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. અલગ-અલગ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મુજબ કોરોનાની જુદી-જુદી અસર થઈ હોવાનું જાણવા મળે છે. ત્યારે હાલમાં જ થયેલા એક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીમાં સૌથી સામાન્ય એવા કયા બે લક્ષણ જોવા મળે છે.
I am Gujarat 1
પ્રતીકાત્મક તસવીર


કોરોના વાયરસને હરાવીને સાજા થયેલા દર્દી અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ તેઓમાં કેટલાંક લક્ષણો અનુભવ્યા હોવાનું તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. અહીં નોંધનીય છે કે કોરોનાને હરાવ્યા પછી સાંધાનો દુ:ખાવો, માનસિક થાકથી લઈને છાતીમાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. ત્યારે હાલમાં જ એક જરનલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કોરોનાને હરાવને સાજા થયેલા દર્દીઓમાં સૌથી સામાન્ય કયા 2 લક્ષણ જોવા મળે છે. આ લક્ષણોમાં Dyspnea એટલે કે શ્વાસ લેવામાં સમસ્યા થવી અને થાક લાગવોનો સમાવેશ થાય છે.

Dyspnea એટલે કે શ્વાસની તંગી કે જેમાં જે-તે વ્યક્તિને શ્વાસ લેવો કઠિન પડે છે અને ગૂંગળામણ તેમજ છાતીના દુ:ખાવાનો અનુભવ થાય છે. જ્યારે અન્ય અનુભવમાં થાક લાગવાની સ્થિતિનું સર્જન થાય છે. જેમાં સતત ઊંઘ આવવી અને સુસ્ત અનુભવ થવો તેમજ લાંબા ગાળે હેલ્થની વિવિધ સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ માટે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણ જોવા મળે ત્યારે નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, ઘરનો રૂમ ઠંડો રાખતા બારીઓ ખોલી નાખવી જોઈએ. શ્વાસ સંબંધિત કેટલીક કસરત કરવી જોઈએ અને કોરોના સંબંધિત તમામ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો