એપશહેર

કોરોના વાયરસઃ આ બે જગ્યાની મુલાકાત લેવાથી સંક્રમણ લાગવાનો સૌથી વધુ ખતરો

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે રેસ્ટોરાં અને જિમ પણ ખુલી ગયા છે ત્યારે ત્યાં પણ જવાનું ટાળવું જોઈએ.

TIMESOFINDIA.COM 25 Sep 2020, 10:34 am
કોવિડ 19ના કેસ દુનિયાભરમાં વધી રહ્યા છે ત્યારે વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ મહત્વનું બની ગયું છે. જ્યાં એક તરફ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓને મહામારીની બીજી લહેરને લઈને આશંકા છે ત્યારે વધુમાં વધુ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. લોકડાઉન ધીમે-ધીમે હટાવી દેવાતા અને ઓફિસો તેમજ કામ-ધંધા શરુ થઈ જતાં લોકોને કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો વધી ગયો છે. ચેપ ન લાગે અને ચેપ ન ફેલાઈ તે માટે કેટલાક મહત્વના પગલા લેવાની તેમજ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની આ સમયમાં જરૂર છે.
I am Gujarat CORONAVIRUS


રેસ્ટોરાં અને જિમ
આપણા દેશમાં મહામારી ફેલાઈ તેને લગભગ 10 મહિના જેટલો સમય થવા આવ્યો છે, વૈજ્ઞાનિકો અને મેડિકલ એક્સપર્ટ આ વાયરસ પર અભ્યાસ કરી રહ્યા છે. CDC (સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલી સ્ટડી પ્રમાણે, બે સ્થળો એવા છે જ્યાં સૌથી વધુ કોરોના ફેલાવાનો ખતરો રહેલો છે. ઈમ્યૂનોલોજિસ્ટ અને ઈન્ફેક્શિયસ ડિસીસ એક્સપર્ટ ડો. એન્થોની ફૌસીના જણાવ્યા પ્રમાણે, 'જો તમે CDCની વેબસાઈટ પર જશો તો સાચી સ્થિતની જાણ થશે. તેમાં અલગ-અલગ પ્રકારના સ્થિતિના ખતરા વિશે જણાવવામાં આવ્યું છે. રેસ્ટોરાં અને જિમ એવી જગ્યા છે જે સૌથી વધારે ખતરનાક છે'.

સ્ટડી શું કહે છે?
CDC દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ટડી પ્રમાણે, એવા સ્થળોએ જવું જ્યાં ખાવા-પીવાના ઓપ્શન ઓફર કરે છે, ત કોવિડ-19 પોઝિટિવિટી સાથે સંકળાયેલા છે. હકીકતમાં, જેમને કોવિડ-19નું સંક્રમણ લાગ્યું હતું તેમણે કોવિડ નેગેટિવ લોકોની સરખામણીમાં બેવાર રેસ્ટોરાંમાં જઈને ભોજન લીધું હતું.

આ જગ્યાઓ પર કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો કેમ વધારે છે?

જ્યારે તમે કોઈ રેસ્ટોરાંમાં જમવા જાઓ છો ત્યારે તમે આસપાસના અન્ય લોકોની સાથે ઓછી હવા-ઉજાસવાળી જગ્યામાં બંધ રહો છો. વેઈટર અથવા અન્ય સ્ટાફ મેમ્બર્સ સાથે કોન્ટેક્ટમાં આવવું, વસ્તુઓને અડવી, જમતી વખતે માસ્ક ઉતારવું આ બધી બાબતો તમને વધારે ખતરામાં નાખે છે. વધુમાં ઈનડોર સીટિંગ તમને દરેક વખતે ઓછામાં ઓછું 6 ફૂટનું ડિસ્ટન્સ પણ આપતું નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં ખતરો વધારે રહે છે. તમે એવી કોઈ જગ્યાએ રહો છો જ્યાં ટ્રાન્સમિશનનો રેટ વધારે છે અને તમે જ્યારે રેસ્ટોરાંની મુલાકાત લો છો તો તે જગ્યા વધારે અસુરક્ષિત બની જાય છે. જો તમે ફિટનેસ ફ્રિક છો તો પણ હાલ પૂરતું જિમની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવે છે. જિમમાં જે સાધનો હોય છે તે પણ બીમારી ફેલાવવામાં ભાગ ભજવી શકે છે, પછી ભલે તમે ગમે એટલા સાવચેત કેમ ન રહેતા હો.

આ સ્થિતિમાં તમે શું કરી શકો?
કોવિડ-19ના સંપર્કમાં આવવાથી બચવા માટે હંમેશા માસ્ક પહેરીને રાખો. જો તમારે કોઈની સાથે મીટિંગ હોય તો તેવા સ્થળે તેનું આયોજન કરો, જ્યાં હવા-ઉજાસની વ્યવસ્થા હોય. તમારું માસ્ક ક્યારેય ન ઉતારો, સેલ્ફી લેતી વખતે પણ નહીં. મહામારી દરમિયાન લોકો શું કરે છે તે આપણા હાથમાં નથી પરંતુ સ્થિતિમાં સુધારો થાય તે માટે આપણે આપણા તરફથી યોગદાન આપવું જોઈએ. જેમ કે, માસ્ક પહેરવું, જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું અને હાઈજીનનું ધ્યાન રાખવું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો