એપશહેર

દિવાળી પર વધુ ઝાપટી લીધું છે? આ રીતે શરીરને કરો ડિટોક્સ

Gaurang Joshi | I am Gujarat 27 Oct 2019, 4:55 pm
દિવાળી એક એવો તહેવાર છે જ્યારે લોકો એકબીજાને ગિફ્ટ્સ આપવાની સાથે જ ફટાકડા ફોડવા અને ઉત્તમ પકવાન પણ ખાય છે અને ખૂબ મસ્તી કરે છે. પોતાની ફિટનેસને લઈને સજાગ રહેનાર લોકો પણ આ દિવસે સ્ટ્રિક્ટ ડાયેટ અનફોલો કરે છે અને તળેલા પકવાનો પર તૂટી પડે છે. અજાણતામાં જ તેઓ ખૂબ જ ફેટ અને શુગર વધારી દે છે. જોકે, અસલી પરેશાની તો દિવાળી પછી જ શરુ થાય છે. જે પણ તમે ઝાપટ્યું હોય તેની અસર દિવાળી પછી જ જોવા મળે છે. તહેવાર પછી લોકો રુટિનમાં આવવાની કોશિશ કરે છે પરંતુ એવું થઈ શકતું નથી. આથી અમે તમને જણાવી રહ્યાં છીએ કેટલીક કામની ટીપ્સ.. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો દિવાળી પછી જ શરુ થાય છે મુશ્કેલી સાયકિયાટ્રિસ્ટ ડૉ.વાણી શરનના જણાવ્યાનુસાર, દિવાળી પછી પણ લોકોને પોતાના દોસ્તો અને સંબંધીઓના સંપર્કમાં રહેવું જોઈએ. આ ઉપરાંત પોતાની પસંદગીની હોબી પણ માણવી જોઈએ. કસરત પણ કરી શકે છે કારણકે તહેવારના દિવસે જે પણ ઝાપટ્યું હોય તે બર્ન થઈને શરીરની બહાર નીકળી શકે. ડાયટિશ્યિન પાલ્કી ચોપડાના જણાવ્યાનુસાર, તહેવારો પર તળેલું ખાવું અને દારુ પીવો પણ મોટી માત્રામાં થાય છે. પકવાન અને તળેલી વસ્તુઓ તહેવારનો એક ભાગ છે પરંતુ તમે એ સત્ય પણ નકારી ન શકો કે આ બધું જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આ રીતે કરો ડિટોક્સિફાઈ શરીરને ડિટોક્સિફાઈ કરવા માટે પણ લોકોને પોતાની દિનચર્યામાં નાના-મોટા ફેરફાર કરવાની જરુર છે. આ માટે દિવસની શરુઆત 1 ગ્લાસ ગરમ પાણીથી કરવી જોઈએ. અથવા તો તમારે લેમન ગ્રીન ટી પણ પીવી જોઈએ. જેથી શરીરમાં ભીનાશ જળવાઈ રહે. આ ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડૉ.ચોપડાએ કહ્યું કે,’થોડા અઠવાડિયા સુધી ગાજર, મૂળી, ખીરા અને ટમેટાં સાથે ખૂબ સલાડ ખાવું જોઈએ. ડબ્બા બંધ વસ્તુઓ, જેમ કે ચિપ્સ, નમકીન અને કેક તો બિલકુલ ન ખાવી જોઈએ. આ સાથે જ ડ્રાઈફ્રૂટ્સ પણ ખાવા જોઈએ.’ થઈ શકે છે આવી મુશ્કેલીઓ ચેસ્ટ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રેસ્પિરેટરી મેડિસિન પારસ હોસ્પિટલના ચીફ ડૉ. અરુણેશ કુમારના જણાવ્યાનુસાર આ બધા વચ્ચે શ્વાસ સંબંધિત પરેશાનીઓ હોય તેવા વ્યક્તિઓએ તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. માત્ર અસ્થમાના દર્દીઓ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓને પણ ખાસ ધ્યાન રાખવાની જરુર છે. દિવાળી દરમિયાન ફૂટતા ફટાકડાઓમાં લેડ, કોપર, ઝિંક, મેંગેનીઝ, સોડિયમ અને પોટેશિયમ જેવા કેમિકલ્સ હોય છે. જેથી તેની માત્રા જો વાયુમાં વધી જાય તો દર્દીને અસ્થમાનો એટેક આવી શકે છે. આ ઉપરાંત માથાના દુખાવો અને શ્વાસ સંબંધિત અન્ય પરેશાનીઓ પણ થઈ શકે છે. ધૂમાડામાં ભળે છે ઝેરી તત્વો ફટાકડાના કારણે ઝેરી તત્વો હવામાં ભળી જાય છે. જેથી સામાન્ય વાયુ પ્રદુષણથી એકદમ અલગ જ વાતાવરણ બને છે. જેથી વાયુની ગુણવત્તા પણ ખરાબ થાય છે અને સામાન્ય વ્યક્તિનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે. જેથી લોકોને કોશિશ કરવી જોઈએ કે વધારે ધૂમાડાવાળી જગ્યા પર ન જાય. ગુડગાંવ સ્થિત કોલંબિયા એશિયા હોસ્પિટલના પલમોનોલિજસ્ટ ડૉ.પિયૂષ ગોયલનું કહેવું છે કે લોકોને એક સારી ક્વોલિટીનું માસ્ક પહેરવું જોઈએ અને જરુરી માત્રામાં લિક્વિડ પણ પીવું જોઈએ. જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો… જ્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ થાય તો ગરમ પાણીમાં લવેન્ડર ઓઈલ નાખીને સ્ટીમ લો. જેથી બધા જ પ્રકારના બ્લોકેજ દૂર થશે અને તણાવ પણ હળવો થશે. વધારે ઝડપી મ્યૂઝિક અને પછી ફટાકડાના અવાજથી જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો છાતી અને કમર પર ગરમ પાણીની કોથળી રાખો. આમ કરવાથી તમને રાહત મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો