એપશહેર

Bloating remedy: બારેમાસ ફૂગ્ગાની જેમ પેટ ફૂલેલું રહે છે? 1 અઠવાડિયામાં જ સમસ્યા દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય

Stomach Gas and Bloating Remedies: બ્લોટિંગથી બચવા માટે સૌથી પહેલાં તમારે ડાયટમાં ફેરફાર કરવાની જરૂર છે. આયુર્વેદ અનુસાર, એક સરળ રીતથી પણ પેટ ફૂલવાની સમસ્યાનો કાયમી ઇલાજ શક્ય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 19 Oct 2023, 9:32 am
Ayurveda Remedies for Bloating: ઘણીવાર લોકો થોડું ભોજન લીધા બાદ પણ પેટ ફૂલાઇ જવાની ફરિયાદ કરતા રહે છે. સામાન્ય ફૂડ લીધા બાદ પણ તેઓને પેટ ભરાયેલું લાગતું હોય છે. જ્યારે કેટલાંક લોકોનું પેટ હંમેશા ફૂલાયેલું જ દેખાતું હોય છે. મેડિકલ ભાષામાં તેને બ્લોટિંગ (Bloating) કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, પેટમાં હવા અથવા ગેસ ભરાઇ જાય છે, તે બહાર નહીં નિકળવા પર પેટ ફૂગ્ગાની માફક ફૂલાયેલું જ દેખાય છે.
I am Gujarat feeling bloated here are the best and effective ayurvedic remedies for bloating according to ayurveda expert
Bloating remedy: બારેમાસ ફૂગ્ગાની જેમ પેટ ફૂલેલું રહે છે? 1 અઠવાડિયામાં જ સમસ્યા દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય


સામાન્ય રીતે આ સ્થિતિ ખાનપાનની ખોટી રીત, સુસ્ત જીવનશૈલીના પરિણામે થાય છે. પરંતુ ઘણીવાર તેનાથી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઉભું થાય છે. પેટ ફૂલાયેલું રહેવાના અનેક કારણો હોઇ શકે છે. જો કે, તેના મૂળ કારણોને જાણ્યા બાદ તેનો ઇલાજ કરવાથી ઝડપી પરિણામ મળે છે. પેટ ફૂલવાની સમસ્યા ઘણીવાર કબજિયાત, ગેસ કે એસિડિટીના કારણે પણ થાય છે.

એક્સપર્ટ્સ અનુસાર, બ્લોટિંગથી બચવા માટે તમારે સૌથી પહેલાં ડાયટમાં ફેરફાર કરવા જોઇએ. તેના માટે અનેક દવાઓ અને ઉપચાર પણ મોજૂદ છે. આ સિવાય આયુર્વેદમાં પણ પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવાનો ઇલાજ છે. આયુર્વેદિક ડોક્ટર મિહિર ખત્રી (Dr. Mihir Khatri, Ayurveda Doctor) પાસેથી જાણો ફૂલેલા પેટ અને બ્લોટિંગની સમસ્યાને દૂર કરવાની અસરદાર, સરળ અને સસ્તી રીત વિશે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​પેટ ફૂલવા અથવા બ્લોટિંગના કારણો

  • વધારે સમય સુધી બેસી રહેવું
  • ભૂખ વગર ખાવું
  • ભોજન બાદ અથવા ભોજન દરમિયાન વધારે માત્રામાં પાણી પીવું
  • મોડી રાત્રે ભોજન લેવું
  • વધારે કાચા શાકભાજીનું સેવન

​બ્લોટિંગ માટે આયુર્વેદિક ઉપચાર

એક ચમચી દેશી ગાયનું ઘી ગરમ કરીને તેમાં 2 ચમચી સિંધવ મીઠું નાખો. આ મિશ્રણને ભોજન પહેલાં બપોરે અથવા રાત્રે ભોજન માટે માત્ર એક અઠવાડિયા સુધી લો. આનાથી પેટ ફૂલવાની સમસ્યાથી આરામ મળશે.

​ઘી અને સિંધવ લૂણના ફાયદા

ડોક્ટર અનુસાર, ગરમ ઘીમાં અગ્નિપ્રદિપણ ગુણો રહેલા છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. સિંધવ લૂણ પણ અગ્નિપ્રદિપક છે જે પાચનમાં સુધાર કરવામાં મદદ કરે છે અને ગેસથી છૂટકારો અપાવે છે.

પેટના ગેસ અને બ્લોટિંગનો રામબાણ ઇલાજ

View this post on Instagram A post shared by Dr.Khatri's Shashwat Ayurvedam (@vaidya_mihir_khatri)

​બ્લોટિંગ ઉપાયો અને તકેદારી

દરરોજ સવારે ઓછામાં ઓછા અડધા કલાક સુધી ચાલવાની આદત રાખો, માત્ર ભોજન બાદ નહીં પણ સવારે પણ ચાલવાથી ગેસની સમસ્યા દૂર થશે. આ સિવાય તેનાથી સોજા પણ દૂર થાય છે.

જો તમે જૂના જીઆઇ ડિસ્ઓર્ડર્સ (GI Disorders)થી પીડિત છો, તો સૌથી પહેલાં તમારે તેનો ઇલાજ કરાવવો જોઇએ. આ બીમારીનો ઇલાજ શક્ય છે. પેટમાં સતત ગેસ બની રહ્યો છે તેના મૂળ વિશે જાણો અને ડોક્ટરની સલાહ લો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story