એપશહેર

GBS Virus: ઘાતક વાયરસ GBSના કેસ વધતા પેરૂમાં હેલ્થ ઇમરજન્સી જાહેર; ગણતરીના સમયમાં દર્દી થઇ જાય છે લકવાગ્રસ્ત

Guillain-Barré syndrome: પેરૂ દેશમાં આ બીમારી ઝડપથી ફેલાઇ રહી છે, ગુલિયન બેરે સિન્ડ્રોમ નામની આ બીમારીનો કોઇ ઇલાજ નથી, તેના કારણે અત્યાર સુધી ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 12 Jul 2023, 10:25 am
What is Guillain-Barré syndrome: દક્ષિણ અમેરિકામાં સ્થિત પેરૂ દેશણાં હાલ અજીબ બીમારી ગુલિયન બેરે સિન્ડ્રોમ (Guillain-Barré syndrome) એટલે કે, GBS નામની બીમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બીમારીની ચપેટમાં આવતા દર્દીઓની સંખ્યા વધતા દેશમાં હેલ્થ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે.
I am Gujarat gbs peru declares health emergency over guillain barre syndrome know its symptoms
GBS Virus: ઘાતક વાયરસ GBSના કેસ વધતા પેરૂમાં હેલ્થ ઇમરજન્સી જાહેર; ગણતરીના સમયમાં દર્દી થઇ જાય છે લકવાગ્રસ્ત


પેરૂમાં હેલ્થ ઇમરજન્સી આગામી 90 દિવસ સુધી રહેશે, ગત મહિનાથી લઇ અત્યાર સુધી આ બીમારીના અંદાજિત 200ની આસપાસ કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થઇ ગયા છે. જીબીએસ એક ન્યૂરોલોજીકલ એટલે કે તંત્રિકા સંબંધિત બીમારી છે જેમાં ઇમ્યૂન સિસ્ટમ ભૂલથી તંત્રિકાઓ પર હુમલો કરવાનું શરૂ કરે દે છે. માયોક્લિનિક (Mayoclinic.org) અનુસાર, આ બીમારીમાં પીડિત દર્દીને લકવો (Paralysis) થઇ જાય છે.

કોરોના મહામારી બાદ વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સમાં આ બીમારીનો ઉલ્લેખ થયો હતો અને તેના કેસ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યા હતા. અહીં જાણો, આ બીમારી શું છે અને અચાનક તેના કેસમાં કેમ વધારો થઇ રહ્યો છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ગુલિયન બેરે સિન્ડ્રોમ શું છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, જીબીએસ એક દુર્લભ ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં ઇમ્યૂન સિસ્ટમ ભૂલથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ (peripheral nervous system) પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. નસોનું નેટવર્ક દિમાગ અને કરોડરજ્જુની બહાર હોય છે. આ કોઇ જીનેટિક કે વાયરલ સંક્રમણ નથી, ચિંતાનો વિષય એ છે કે, તેના સટીક કારણો વિશે હજુ સુધી કોઇ જાણકારી નથી.

​જીએસબીના લક્ષણો અને સાઇડ ઇફેક્ટ્સ

NINDS રિસર્ચર્સ અનુસાર, આ બીમારી નસો પર હુમલો કરે છે આ માટે દર્દીમાં સુન્નતા, ઝણઝણાટી અથવા કમજોરી જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં લક્ષણો પક્ષાઘાત એટલે કે, લકવામાં પણ બદલાઇ શકે છે. એવું માનવામાં આવે છે કે, જીબીએસથી પીડિત દર્દીઓમાં થોડાં સમય સુધી કમજોરીવાળા હળવા હુમલાથી લઇ ગંભીર લકવાની પરેશાની થઇ શકે છે. તેના સૌથી ગંભીર સાઇડ ઇફેક્ટ્સમાં શ્વાસ લેવામાં પરેશાની થઇ શકે છે.

​કમજોર થઇ જાય છે દર્દી

જીબીએસના દર્દીઓમાં સતત કમજોરીનું લક્ષણ જોવા મળે છે અને અમુક કલાકો કે દિવસો બાદ તેની સ્થિતિ વધુ ગંભીર થતી જાય છે. મોટાંભાગે આ લક્ષણો બે અઠવાડિયાની અંદર કમજોરીની સૌથી મોટી અવસ્થા સુધી પહોંચી જાય છે અને ત્રીજાં અઠવાડિયા સુધી 90 ટકા દર્દી અત્યંત કમજોર થઇ જાય છે.

​જીબીએસનો કોઇ ઇલાજ નથી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, આ બીમારીનો કોઇ ચોક્કસ ઇલાજ નથી, પરંતુ ડોક્ટર્સ તેના લક્ષણોના આધારે ઉપચાર અને મેડિસિન્સ દ્વારા ઇલાજ કરી શકે છે. જો કે, બીમારીની જટિલતાને અટકાવવાની ચોક્કસ રીત નથી, માત્ર દવાઓ દ્વારા તેના લક્ષણોને ઘટાડી શકાય છે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story