એપશહેર

Remedy for Constipation: ખાલી પેટે પીવો ઘી-પુદીનાની ચા; જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા થશે દૂર, આતરડાં રહેશે સ્વસ્થ

Home Remedies for Constipation: જો તમે અવાર નવાર કબજિયાત અથવા પેટની સમસ્યાથી પીડિત રહો છો તો સવારે ઘી અને પુદીનાની ચા પીવાનું શરૂ કરવું જોઇએ. આ આયુર્વેદિક ચા તમારાં વજનને નિયંત્રિત પણ કરશે અને શરીરની ગંદકીની સફાઇ પણ કરશે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 10 Feb 2024, 11:09 am
Ayurvedic Easy Remedy for Constipation: કબજિયાત, પેટ ફૂલાઇ જવું, અપચો, પેટનો દુઃખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાથી લગભગ દર બીજાં વ્યક્તિને પરેશાની રહે છે. આ વિકારોને ઠીક કરવા માટે વારંવાર દવાઓનું સેવન પણ નુકસાનકારક છે. આ માટે તમે ઘી અને પુદીનાની ચાના ઘરેલુ નુસખાને અજમાવી શકો છો.
I am Gujarat ghee pudina tea to get rid of constipation according to experts
Remedy for Constipation: ખાલી પેટે પીવો ઘી-પુદીનાની ચા; જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા થશે દૂર, આતરડાં રહેશે સ્વસ્થ


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, ઘીમાં તમામ જરૂરી ફૅટી એસિડ અને પ્રચૂર માત્રામાં વિટામિન એ, ડી, ઇ અને કે રહેલું છે. તે પાચનતંત્રને હેલ્ધી રાખી કબજિયાત જેવી પાચન સમસ્યાઓમાં રાહત અપાવે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​પુદીનાના ફાયદા

આયુર્વેદમાં પુદીનાને શક્તિશાળી જડીબુટ્ટી ગણવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, આ જબરદસ્ત જડીબુટ્ટી પેટની સમસ્યાઓને ઠીક કરે છે ઉપરાંત શરીરમાં જમા ગંદા પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે.

​પાચનતંત્ર માટે ઉત્તમ

ઘી અને પુદીનાની ચા પીવાથી પાચન દુરસ્ત રહે છે. ઘી પાચનને સરળ બનાવે છે, જેના કારણે ભોજન માટે આતરડાં સુધી પહોંચવું સરળ બને છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. ઘી અને પુદીનાની ચા પાચનતંત્રમાં સોજાને દૂર કરે છે. તેથી જ આ પ્રકારની ચા કબજિયાતના દર્દીઓ માટે કોઇ વરદાનથી કમ નથી.

​પોષકતત્વોનું પાવર હાઉસ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, ઘી વિષાક્ત પદાર્થોને શરીરમાંથી બહાર ફેંકવામાં મદદ કરે છે. જ્યારે પુદીના તેને એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે જોખમી ફ્રી રેડિકલ્સને ઘટાડે છે. ઘીમાં જરૂરી ફૅટી એસિડ અને વિટામિન્સ રહેલા છે જે પાચનતંત્ર માટે જરૂરી છે. જ્યારે પુદીનામાં ફાઇબર, વિટામિન સી અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત રહેલો છે.

​આવી રીતે બનાવ ઘી-પુદીનાની ચા

એક પૅનમાં એક ચમચી ઘી નાખીને ગરમ થવા દો. એક મુઠ્ઠી તાજા પુદીનાના પાન ઘીમાં નાખીને હળવા તાપે શેકી લો. હવે તેમાં પાણી નાખીને મિશ્રણને ઉકાળો. અંદાજિત 5થી 10 મિનિટ સુધી પાણીમાં તેને ઉકાળ્યા બાદ ગળણીથી ગાળી લો અને સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હઠીલી કબજિયાતમાં આજીવન રાહત માટે અજમાવો એક્સપર્ટના 5 ઘરેલુ ઉપચાર, પેટની સમસ્યા રહેશે દૂર

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story